ઈ-વ્હીકલ ક્રાંતિ મુંબઈનું ભવિષ્ય બદલી નાખશે: પરિવહન પ્રધાન | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ઈ-વ્હીકલ ક્રાંતિ મુંબઈનું ભવિષ્ય બદલી નાખશે: પરિવહન પ્રધાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વધતા પ્રદૂષણ, ઈંધણના ભાવમાં વધઘટ અને ટ્રાફિક જામનો સામનો કરી રહેલા મુંબઈના નાગરિકોને મંગળવારે મોટી રાહતનો સંદેશ મળ્યો. પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે સ્પષ્ટતા કરી કે, ઈ-વ્હીકલ ક્રાંતિ ફક્ત પરિવહનમાં સુધારો નથી, પરંતુ સ્વચ્છ, સ્વસ્થ અને આર્થિક રીતે સધ્ધર મુંબઈ બનાવવા માટે એક નવી દિશા છે.

મુંબઈમાં પરિવર્તનના ચક્ર – મુંબઈના ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે ઈવી અપનાવવાની સમજ આપવા માટેે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે, ઈ-વાહનોના પ્રોત્સાહન, ડ્રાઈવરોના આર્થિક સશક્તિકરણ અને પર્યાવરણને અનુકૂળ મુંબઈના ખ્યાલ પર ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈક મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
સરનાઈકે કહ્યું હતું કે, ‘રાજ્ય સરકારે મુંબઈ અને મહારાષ્ટ્રને ગ્રીન ટ્રાન્સપોર્ટનું હબ બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ પહેલની સફળતા માટે ઓટો અને ટેક્સી ડ્રાઈવરોની સક્રિય ભાગીદારી પાયો બનશે. ઈ-વાહનો માત્ર પર્યાવરણને અનુકૂળ વાહનો જ નથી, પરંતુ ડ્રાઈવરોને ઈંધણના ખર્ચમાંથી મુક્તિ અને વધુ આવકની તક પણ પૂરી પાડે છે.’ ‘સ્વચ્છ, સ્વસ્થ અને આર્થિક રીતે સમૃદ્ધ મુંબઈ બનાવવું એ આપણી સામૂહિક જવાબદારી છે. આ ઈ-વાહન ક્રાંતિ દરેકના સંયુક્ત પ્રયાસો દ્વારા જ સફળ થશે,’ એમ પણ પ્રતાપ સરનાઈકે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ પણ વાંચો…કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પરિવહન ક્ષેત્રના બે મહત્વ પૂર્ણ પ્રોજેક્ટને મળી મંજૂરી, જાણો ખાસીયત…

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button