ધારાવી બચાવો આંદોલનના નેતા ઔર સાંસદ વર્ષા વચ્ચે ફૂટ પડી, લોકોમાં ગુંચવાડો

મુંબઈ: ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ એક તરફ જોરદાર પ્રગતિ કરી રહ્યો છે ત્યારે બીજી તરફ ધારાવી બચાવ આંદોલન (ડીબીએ)ના નેકા અને સાંસદ વર્ષા ગાયકવાડ વચ્ચે વૈચારિક મતભેદ અને અહમના ટકરાવના કારણે ફૂટ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. આને પગલે અત્યાર સુધી આ આંદોલન સાથે જોડાયેલા સ્થાનિક નાગરિકોમાં ભારે ગુંચવાડો જોવા મળી રહ્યો છે.
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડીબીએના દિગ્ગજ નેતા રાજુ કોરડે અને નાસિર ઉલહકે વિધાનસભાની ચૂંટણીમાં જ્યોતિ ગાયકવાડને સમર્થન આપ્યું નહોતું. કોરડેને ફોર્મ પાછું ખેંચાવવામાં વર્ષા ગાયકવાડ નિષ્ફળ નીવડ્યા હતા અને પરિણામે જ્યોતિ ગાયકવાડના વિજયનું માર્જિન ઘટી ગયું હતું.
આ પણ વાંચો: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ તાકીદે પૂરો કરવાની માગણી કરી
બીજી તરફ કોરડેએ ગાયકવાડ પરિવાર પાસે છેલ્લા 40 વર્ષમાં કરેલા કામનો હિસાબ માગ્યો છે અને તેમની સામે મોરચો માંડ્યો છે. આ બધી બાબતોને કારણે નારાજ થયેલા વર્ષા ગાયકવાડે ડીબીએનો સાથ છોડવાનું નક્કી કર્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે ધારાવી બચાઓ આંદોલન દ્વારા રવિવાર (8 જૂન)ના રોજ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધી આ આંદોલનની સાથે જોડાયેલા વર્ષા ગાયકવાડ કાર્યક્રમમાં હાજરી આપે એવી અપેક્ષા હતી, પરંતુ તેમણે આ જ દિવસે કુર્લામાં પોતાનો અલગ કાર્યક્રમ રાખ્યો છે. આ સમાચાર વાયુવેગે ફેલાઈ જતાં હવે સ્થાનિક રહેવાસીઓ કોના કાર્યક્રમમાં હાજરી આપવી તે મુદ્દે ગુંચવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.