અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણ દિવસે રજા જાહેર કરવાની માગણી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણ દિવસે રજા જાહેર કરવાની માગણી

નાગપુર: અયોધ્યામાં રામ મંદિરના લોકાર્પણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવામાં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે જુથના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે દેશવ્યાપી રજા જાહેર કરવાની માગણી કરી હતી.

સરનાઇકે વિધાનસભાની બહાર મીડિયાને જણાવ્યું હતું કે રામ જન્મભૂમિ ખાતે રામ મંદિર ઉદ્ઘાટનના દિવસે દુનિયાભરથી લોકો અહીં આવશે. આ મંદિરના ઉદ્ઘાટનના દરમિયાન ત્યાં હાજર રહેવાની દરેક હિન્દુ બંધુઓની ઈચ્છા હશે. તેથી આ દિવસે દેશમાં રજા જાહેર કરવા અંગે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, અને બંને નાયબ પ્રધાનો સમક્ષ રજૂ કર્યો છે. આ વર્ષની કોઈ એક છુટ્ટી રદ કરીને ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ રજા જાહેર કરવી જેથી અનેક લોકોને તેનો ફાયદો લઈ શકે, એમ સરનાઇકે કહ્યું હતું.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button