આમચી મુંબઈ

બદનક્ષી કેસમાંથી મુક્ત કરવાની માગણી:ઉદ્ધવ-રાઉતની અરજી અદાલતે નકારી

મુંબઈ: શિંદે જૂથના શિવસેના નેતા રાહુલ શેવાળેએ શિવસેના (યુબીટી) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પક્ષના સંસદ સભ્ય સંજય રાઉત વિરુદ્ધ દાખલ કરેલા બદનક્ષી કેસમાંથી મુક્તિ માગતી તેમની અરજી ગુરુવારે અદાલતે નકારી હતી. શિવસેના (યુબીટી)ના મુખપત્ર ’સામના’માં પોતાની વિરુદ્ધ બદનક્ષીભર્યા લેખ છાપવાનો આરોપ શેવાળેએ કર્યો છે. ઉદ્ધવ ઠાકરે ‘સામના’ના તંત્રી છે જ્યારે સંજય રાઉત કાર્યકારી તંત્રી છે. શેવાળે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાના લોકસભામાં જૂથ નેતા છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે કેસમાંથી મુક્તિ માગતી કરેલી અરજી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (મઝગાંવ કોર્ટ) એસ.બી. કાળેએ રદ કરી હતી. અદાલતનો વિગતવાર આદેશ હજી ઉપલબ્ધ નથી થયો. પુરાવાના રેકોર્ડિંગ માટે અદાલતે મામલો નવ નવેમ્બર પર મુલતવી રાખ્યો હતો. શેવાળેએ ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૦ (બદનક્ષી માટે સજા) અને કલમ ૫૦૧ (બદનક્ષીભર્યું લખાણ છાપવું) હેઠળ બંને નેતા સામે પગલાં લેવાની માગણી કરી છે. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો