આમચી મુંબઈ

મારી ધરપકડ થશે તો કરોડો મરાઠાઓ ભૂખ હડતાળ કરશે: મનોજ જરાંગે

છત્રપતિ સંભાજી નગર: જો મારી ધરપકડ કરવામાં આવશે તો કરોડો મરાઠાઓ ભૂખ હડતાળ કરશે એવો દાવો આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ ગુરુવારે કર્યો હતો. ત્રણ દિવસ પહેલા ઉપવાસ છોડ્યા પછી જરાંગે હાલ છત્રપતિ સંભાજી નગરની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હૉસ્પિટલમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં આંદોલનકારીઓએ જણાવ્યું હતું કે મરાઠાઓ તેમના હક માટે લડત ચલાવી રહ્યા છે. સરકાર પાસે હજી લોહીનો સંબંધ ધરાવતા કુણબી મરાઠાઓના ડ્રાફ્ટ નોટિફિકેશનને અમલમાં મૂકવાની તક છે. જો એ અમલમાં મુકવામાં આવશે તો મરાઠાઓ એને આવકાર આપશે. પાત્ર કુણબી (મરાઠા)ને પ્રમાણપત્ર આપવા અંગેનું ડ્રાફ્ટ નોટિફિકેશન જાન્યુઆરીમાં જારી કરવામાં આવ્યું હતું.

સ્પેશિયલ કેટેગરી હેઠળ તાજેતરમાં મરાઠાઓને આપવામાં આવેલા ૧૦ ટકા આરક્ષણ સામે વિરોધનો જરાંગેએ પુનરુચ્ચાર કર્યો હતો. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ માટે અસંયમી ભાષા વાપરવા બદલ જરાંગેની આકરી ટીકા થઈ છે. ફડણવીસ તેમની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એવો આક્ષેપ જરાંગેએ કર્યો હતો. (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો