આમચી મુંબઈ
ડોંબિવલીમાં કોરોનાથી બીજું મૃત્યુ…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાથી બીજું મૃત્યુ થયું છે. આ અગાઉ કોરોનાથી એક મહિલાનું મૃત્યુ થયા બાદ બુધવારે અન્ય એક દર્દીનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. હાલ કલ્યાણ-ડોંબિવલીમાં કોરોના આઠ સક્રિય દર્દી છે.
પાલિકાના જણાવ્યા મુજબ ડોંબિવલીના ૬૭ વર્ષના દર્દીની કલવામાં પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી એ દરમ્યાન બુધવારે તેનું મૃત્યુ થયું હતું. મૃતક હાયપરટેન્શન સહિત ડાયાબિટીસની બીમારીથી પીડિત હતો અને તેણે કોરોનાની વૅક્સિન પણ લીધી નહોતી.
રાજ્યના આરોગ્ય ખાતાના જણાવ્યા મુજબ જાન્યુઆરી ૨૦૨૫થી અત્યાર સુધી અન્ય ગંભીર બીમારીથી પીડિત રહેલા પાંચ અને અન્ય એક એમ કુલ છ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે.