આમચી મુંબઈ

સાંસદના નકલી ભલામણપત્રથી ટિકિટ કન્ફર્મ કરવાના કૌભાંડનો પર્દાફાશ: એકની ધરપકડ

મુંબઈઃ મધ્ય રેલવેના સીએસએમટી (છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) ખાતે ટ્રેનની ટિકિટના કન્ફર્મેશન માટે ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો જાણવા મળ્યો છે. મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ભિવંડી ખાતેના સાંસદ સુરેશ મ્હાત્રે ઉર્ફે બાલ્યા મામાના બનાવટી હસ્તાક્ષરવાળી કન્ફર્મેશન માટે કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

આસિસ્ટન્ટની ફરિયાદને આધારે કાર્યવાહી
આ આરોપસર એક વ્યક્તિની સામે એફઆઈઆર નોંધવામાં આવ્યો છે. આરોપીની ઓળખ સઈદ એઝાઝ તરીકે કરવામાં આવી છે. રેલવે પોલીસે મ્હાત્રેના પર્સનલ આસિસ્ટન્ટ આકાશ પાટીલની ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી અને આ મુદ્દે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.

નામ-હસ્તાક્ષરવાળા પત્રથી કરી ભલામણ
રેલવે પોલીસના જણાવ્યાનુસાર આરોપીએ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને સંબોધતા એક બનાવટી પત્ર મારફત દેવગિરિ એક્સપ્રેસમાં બે ટિકિટ સાંસદના ક્વોટામાંથી લેવાની કોશિશ કરી હતી. આ પત્ર નાંદેડથી પ્રવાસ માટે 31મી ટિકિટ માગવા મુદ્દે રિઝર્વેશન વિભાગમાં 30મી મેના અરજી કરી હતી. આ પત્ર કન્ફર્મેશન ડ્રોપબોક્સમાં નાખવામાં આવ્યો હતો. એમાં સાંસદ સુરેશ મ્હાત્રેનું નામ અને હસ્તાક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભલામણપત્ર હસ્તલિખિત હોવાનું ઓછું બને
આમ છતાં રેલવેએ અધિકારીઓએ પત્રની ભાષા અને ફોર્મેટ પર શક કરવામાં આવ્યો હતો, ત્યાર પછી સાંસદના આસિસ્ટન્ટ આકાશ પાટીલનો સંપર્ક કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પત્ર હાથથી લખવામાં આવ્યો છે, જ્યારે સામાન્ય રીતે સાંસદના પત્ર સહાયક દ્વારા ટાઈપ કરવામાં આવે છે. આમ છતાં એમાં આ પ્રકારની કોઈ વાત જોવા મળી નહોતી.

વિદેશથી પરત ફર્યા પછી હકીકત ખબર પડી
એટલું જ નહીં, વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સાંસદનું નામ, સિગ્નેચર અને આવકજાવકનું વિવરણ તમામ શંકાસ્પદ હતું. તારીખ પણ શંકાસ્પદ હતી, તેને કારણ કે જે તારીખનું ડિસ્ક્રિપ્શન લખ્યું હતું તે વખતે તેઓ વિદેશમાં હતા, વિદેશથી પરત ફર્યા પછી ખબર પડી કે જે રેલવેમાં પત્ર પહોંચ્યો હતો એ બનાવટી હતો.

આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધ્યો
બનાવટી પત્ર તૈયાર કરનાર આરોપીએ સઈદ એઝાઝની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318 (4), 336 (2) અને 340 (2) અન્વયે એફઆઈઆર નોંધવામાં આવી હતી. રેલવે પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ અગાઉ આરોપીએ કોઈ કોશિશ કરી છે કે નહીં.

આ પણ વાંચો – નવી મુંબઈની 527 ઇમારતો જોખમી: NMMC દ્વારા તાત્કાલિક કાર્યવાહીના આદેશ

ક્વોટાનો દુરુપયોગ થવાનું પ્રમાણ વધુ
અહીં એ જણાવવાનું કે ભારતીય રેલવેમાં સાંસદોના માટે એક વિશેષ ક્વોટા હોય છે, જે અન્વયે સાંસદના ભલામણપત્રના આધારે પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ મળી રહે છે. આ મુદ્દે અગાઉ પણ રિઝર્વેશનની કન્ફર્મ ટિકિટ કરવામાં પણ ગેરરીતિ કરવાના કિસ્સા બન્યા છે, તેથી રેલવે પણ વધુ સતર્ક રહીને કામગીરી કરે છે તેમ જ રેલવે પોલીસ ગંભીરતાથી તપાસ કરતી રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button