આમચી મુંબઈ

એલટીટી સ્ટેશન પર ક્લીન અપ માર્શલ

મિશન સફળ થતાં દરેક સ્ટેશનો પર કરાશે તહેનાત

મુંબઈ : રેલવે સ્ટેશનો પર ગંદકી કરનાર અને થૂંકનારા પ્રવાસીઓ પાસેથી ૧૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. આગામી અઠવાડિયાથી મધ્ય રેલવેના એલટીટી સ્ટેશન પર ત્રણ મહિના માટે રેલવે ક્લીન અપ માર્શલની નિમણૂક કરવાનો નિર્ણય પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે.
આ ક્લીન અપ માર્શલ યોજનાને સફળતા મળતા તેને મધ્ય રેલવેના દરેક સ્ટેશનો પર પણ તહેનાત કરવામાં આવશે.
મુંબઈમાં ક્લીન અપ મિશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે રેલવે સ્ટેશનો પર પણ સ્વચ્છતા રાખવા માટે સ્વચ્છતા કામગારોની નિમણૂક કરવામાં આવી છે.
આ કામગારો સાથે સ્ટેશનો પર મશીન વડે પણ સાફસફાઇ કરવામાં આવી રહી છે. પણ સ્ટેશનો પર વધતી ભીડને કારણે રેલવે પ્રશાસનની આ યોજના અસફળ સાબિત થઈ છે.
રેલવે સ્ટેશનો પર ક્લીન માર્શલ દ્વારા ગંદકી કરનાર અને થૂંકનારા પ્રવાસીઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવવાની છે.
ક્લીન માર્શલની આ કાર્યવાહી દરમિયાન અનેક વખત દંડ ભરવાને લઈને પ્રવાસીઓ
સાથે વાદ થતાં ક્લીન માર્શલને લેબલ સાથે તસવીરો પોતાના કેમેરામાં કેદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી કોઈ પણ વાદ ન સર્જાય.
આ વિશે એક અધિકારીએ જણાવ્યું હતું કે ક્લીન અપ માર્શલને દંડની રકમ વસૂલવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. પણ સ્ટેશન અસ્વચ્છતા કરનાર પ્રવસીઓ પકડાતાં ક્લીન અપ માર્શલ દ્વારા તેમને ટીસી પાસે લઇજવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. ટીસી દ્વારા વસૂલવામાં આવેલી રકમની રસીદ પર પ્રવાસીઓને આપવામાં આવશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.
મધ્ય રેલવે પ્રશાસન દ્વારા અમુક ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે, જેમાં રેલવે પ્લેટફોર્મ પર થૂંકવું, પાણીની ખાલી બોટલ, રેપર પ્લેટફોર્મ પર ફેંકતા પકડાશે તો તેમની પાસેથી ૧૦૦ રૂપિયાનો દંડ વસૂલવા આવશે. અધિકારી એ જણાવ્યું હતું કે આ દંડની રકમ પહેલા ૨૦૦ રૂપિયા રાખવામાં આવવાની હતી, પણ ત્યારબાદ તેને ૧૦૦ કરવામાં આવી છે.
સ્ટેશન પર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિમણૂક કરવામાં આવતા માર્શલની પોલીસ તપાસ કરાવવી જરૂરી છે.
માર્શલની પોલીસ તપાસ બાદ કોન્ટ્રેક્ટરને તેમની નિમણૂક કરવાની પરવાનગી આપવામાં આવશે. ક્લીન અપ માર્શલ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવવાની છે, જેમાં દરેક માર્શલ માટે એસએસસી અને સુપરવાઇઝર માટે એચએસસી આ રીતની શૈક્ષણિક પાત્રતા રાખવામાં આવી છે.
આ માર્શલ સ્ટેશન પર લગાવેલા સીસીટીવી કેમેરાનો ઉપયોગ પણ કરશે. આ સાથે માર્શલ પર પણ સીસીટીવી વડે નજર રાખવામાં આવશે અને જો પ્રવાસીઓ સામે ખોટી કાર્યવાહી કરી તેમને હેરાન કરવાની ફરિયાદ મળતા માર્શલ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એવું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત