આમચી મુંબઈ

મધ્ય રેલવેએ પાસના નિયમ વધુ કડક બનાવ્યા: હવે જૂનો પાસ દેખાડી નવો પાસ નહીં મળે, આઇડી દેખાડવું ફરજિયાત

મુંબઈ: છેલ્લા કેટલાક દિવસોમાં શહેરમાં નકલી યૂટીએસ અને લોકલ પાસના વધતા જતા કિસ્સાઓને કારણે રેલવેની હાલત કફોડી બની હતી અને તેને ઘટાડવા માટે મધ્ય રેલવેએ પાસના નિયમોનો કડક અમલ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર પાસ ધારકોએ મુસાફરી દરમિયાન આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા મતદાર કાર્ડ જેવા ઓળખ દસ્તાવેજો સાથે રાખવા ફરજિયાત છે, પરંતુ આ નિર્ણય બાદ મુસાફરોની તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. મધ્ય અને પશ્ર્ચિમ રેલવે સહિત મુંબઈમાં દરરોજ ૩,૦૦૦થી વધુ લોકલ ટ્રેનો દોડે છે અને ૭૫ લાખથી વધુ લોકો સ્થળાંતર કરે છે. નોંધનીય છે કે ટિકિટ વગર મુસાફરી કરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

અગાઉ મુસાફરો જૂનો પાસ બતાવીને નવો પાસ સરળતાથી મેળવી શકતા હતા, પરંતુ હવે પાસ રિન્યુ કરવા માટે આધાર કાર્ડ અથવા અન્ય ઓળખ કાર્ડમાંથી કોઈ એક બતાવવું ફરજિયાત છે. આ ઉપરાંત મુસાફરોએ જે ઓળખપત્રના આધારે પાસ મેળવ્યો છે તે ઓળખકાર્ડ મુસાફરી દરમિયાન પોતાની સાથે રાખવાનું રહેશે. ઉપરાંત ટીસીએ અસલ ઓળખ કાર્ડ માંગતી વખતે ડીજી લોકરમાંથી અસલ દસ્તાવેજ અથવા ઈ-આઈડી કાર્ડ બતાવવાનું ફરજિયાત બનાવ્યું છે. મોબાઈલમાંથી ફોટોકોપી આમાં કામ નહીં કરે. રેલવેનું કહેવું છે કે જો કોઈ ઓળખ પત્ર ન હોય તો સંબંધિત મુસાફર સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે.

સોફ્ટવેરની મદદથી નકલી પાસ બનાવાય છે
રેલવેએ મુસાફરોની સુવિધા માટે યૂટીએસ એપ દ્વારા ઓનલાઈન ટિકિટ/પાસની સુવિધા પૂરી પાડી છે, પરંતુ કેટલાક લોકો એવા છે જે સોફ્ટવેરની મદદથી નકલી પાસ બનાવે છે અને મધ્ય રેલવેએ આ તમામ મામલાઓને કાબૂમાં લેવા અને પાસ ધારકોને સજા કરવા માટે પગલાં લીધાં છે. રેકોર્ડની જાળવણી માટેના નિયમોનો કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…