આમચી મુંબઈ

જરાંગેના ગામમાં કરફ્યુ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર કરતા રોકવાની હાકલ

છત્રપતિ સંભાજી નગર: આ તો હળાહળ અન્યાય છે એવી ટિપ્પણી કરી મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં આવેલા પોતાના ગામ અંતરવલી સરાતીમાં ચાલી રહેલા કરફ્યુ સામે શુક્રવારે વિરોધ નોંધાવ્યો હતો. અનામતની માગણી સંદર્ભે જરાંગે ભૂખ હડતાળ પર ઉતર્યા હતા અને ગયા મહિને પારણાં કર્યા પછી તેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હૉસ્પિટલમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ગામમાં કે આસપાસના વિસ્તારમાં કોઈ હિંસાની ઘટનાઓ નથી બની. હોસ્પિટલમાંથી ગઈકાલે તેમને રજા આપવામાં આવી હતી. સંવાદદાતાઓને તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવ્યા પછી પણ જો કરફ્યુ ગામ (અંતરવલી સારતી)માં ચાલુ રહે તો એ રાજકીય પક્ષોના
ચૂંટણી પ્રચારને પણ લાગુ થવો જોઈએ. તેમને પણ મીટીંગ
કરવાની પરવાનગી ન મળવી જોઈએ.’ (પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?