આમચી મુંબઈ

શિંદે જૂથની દશેરા સભામાંથી ઘરે પરત ફરી રહેલા શિવસૈનિકોનો બસ અકસ્માત

મુંબઇઃ શિવસેનાની દશેરા સભા પછી, શિંદે જૂથના કાર્યકર્તાઓની તેમને ગામ પરત ફરી રહેલી ત્રણ બસ ભયાનક અકસ્માતનો ભોગ બની હતી. દશેરા સમારોહ પછી પોતપોતાના ગામોમાં પરત ફરી રહેલા શિવસેના શિંદે જૂથના કાર્યકરોના વાહનોને શાહપુર નજીક મુંબઈ-આગ્રા હાઈવે પર એક વિચિત્ર અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો.

આ ઘટના મોડીરાત્રે અઢી વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રી અબ્દુલ સત્તારના સિલ્લોડ – સોઈગાંવ વિધાનસભા મતવિસ્તારના કાર્યકરોને લઈ જઈ રહેલી એક ટ્રક અને પરિવહન નિગમની બસ વચ્ચે અકસ્માત થયો હતો. જે બાદ પાછળથી આવી રહેલી કાર્યકરોની અન્ય બે બસો પણ એકબીજા સાથે અથડાઈ હતી.


જ્યારે એક ટ્રક અને બસ ફ્લાયઓવર પરના સાઈડ ડિવાઈડરને તોડીને ફ્લાયઓવરની નીચેના રોડ પર પડી હતી, જ્યારે અન્ય બે બસોને પણ ભારે નુકસાન થયું હતું. આ અકસ્માતમાં 6 થી 7 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી છે .કેટલાક કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે સ્થળ પર પહોંચીને મદદ કરી હતી.


આપહેલા જ્યારે શિંદે જૂથના કાર્યકરો સભા માટે મુંબઈ આવી રહ્યા હતા ત્યારે એક શિવસૈનિકની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં એક કામદારનું મોત થયું હતું. જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત કાવતેમહાકનાલ તાલુકામાંથી પસાર થતા રત્નાગીરી નાગપુર હાઈવે પર શિરદોન ગામ પાસે થયો હતો . આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ટ્રકે અધિકારીની કારને પાછળથી ટક્કર મારી હતી. એવું બહાર આવ્યું છે કે કારમાં શિંદે યુવા સેના જૂથના અધિકારી હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત