આમચી મુંબઈ

મધ્ય રેલવેના ત્રણેય માર્ગ પર આજે બ્લોક

મુંબઈ: મધ્ય રેલવેએ ૨૮ જાન્યુઆરી રવિવારે મધ્ય, હાર્બર અને ટ્રાન્સ હાર્બર માર્ગમાં કામકાજ માટે બ્લોક લેવાનો નિર્ણય લીધો છે. જેથી સીએસએમટી જતી અને આવતી અનેક લોકલ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મધ્ય રેલવેમાં આવતીકાલે પણ અપ-ડાઉન બંને સ્લો લાઇનમાં માટુંગાથી મુલુંડ દરમિયાન અને ડાઉન ફાસ્ટ લાઇનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી માટુંગા દરમિયાન સવારે ૧૧.૦૫ વાગ્યાથી બપોરે

૩.૫૫ વાગ્યા સુધી માર્ગમાં વિશેષ બ્લોક લેવામાં આવવાનો છે.

રેલવેમાં બ્લોકને લઈને એક અધિકારીએ માહિતી આપી હતી કે બ્લોકના સમય દરમિયાન ડાઉન સ્લો લાઇનમાં સીએસએમટીથી માટુંગા અને મુલુંડની દરેક લોકલ ટ્રેનને સ્લો લાઇન પર દોડાવવામાં આવશે. બધી લોકલ ટ્રેનો સ્લો લાઈન પર દોડતા ટ્રેનો ૧૫થી ૨૦ મિનિટ સુધી મોડી પડશે. તેમ જ અંબરનાથ-થાણે માર્ગની ટ્રેનોને પણ કામકાજને લીધે સ્લો લાઇન પર ડાઇવર્ટ કરવામાં આવશે. આ સાથે સીએસએમટી જતી છેલ્લી સવારે ૧૦.૩૫ વાગ્યે ઉપડશે. આ કારણથી આ માર્ગની ટ્રેનો ૧૫-૨૦ મિનિટ સુધી મોડી દોડે એવી માહિતી અધિકારીએ આપી હતી.

મધ્ય રેલવેમાં લેવામાં આવતા બ્લોકમાં પનવેલ-વશી અપ અને ડાઉન હાર્બર માર્ગનો પણ સમાવેશ છે. હાર્બર માર્ગમાં પણ સવારે ૧૧.૦૫ વાગ્યાથી સાંજે ૪.૦૫ વાગ્યા સુધી બ્લોકને લીધે ટ્રેનોની સેવાઓને અસર થશે. જોકે હાર્બર માર્ગના બેલાપુર-ઉરણ અને નેરૂળ-ઉરણ વચ્ચે કોઈપણ લેવામાં ન આવતા આ માર્ગ પર નિયમિત પણે ટ્રેનો દોડશે, એવી માહિતી રેલવે અધિકારીએ આપી હતી.
હાર્બર માર્ગમાં બ્લોક દરમિયાન પનવેલથી સીએસએમટી વચ્ચે અપ અને ડાઉન તેમજ ડાઉન હાર્બર માર્ગમાં થાણેથી પનવેલ-બેલાપુરમાં સવારે ૧૦.૩૩ વાગ્યાથી બપોર ૩.૪૯ વાગ્યા સુધી બધી લોકલ સેવાઓને રદ રાખવામાં આવવાની છે. આ સાથે અપ ટ્રાન્સ હાર્બર લાઇનમાં થાણે તરફ જતી ટ્રેનોને સવારે ૧૧.૦૨ વાગ્યાથી સાંજે ૩.૫૩ વાગ્યા સુધી અને ડાઉન ટ્રાન્સ હાર્બર લાઇનમાં પનવેલ જતી ટ્રેનોને સવારે ૧૦.૧ વાગ્યાથી ૩.૨૦ વાગ્યા સુધી શરૂ રાખવામાં આવશે.

રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે આ હાર્બર અને ટ્રાન્સ હાર્બરમાં પણ બ્લોકને લીધે કાલવડેથી સીએસએમટી અને થાણેથી કાલવડે-નેરૂળ વચ્ચે પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો