આમચી મુંબઈ

આજે મધ્ય રેલવેમાં બ્લોક

મુંબઈ: મુંબઈના રેલવે માર્ગ પર રવિવારે ૨૧ જાન્યુઆરીએ મધ્ય અને હાર્બર માર્ગ પર વિશેષ બ્લોક હાથ ધરવામાં આવવાનો છે.

મુંબઈ ડિવિઝનમાં રેલવેમાં મધ્ય અને હાર્બર માર્ગ પર બ્લોક લેવામાં આવવાનો છે. આ દરમિયાન માર્ગમાં વિવિધ મેન્ટેનન્સ અને સમારકામ હાથ ધરવામાં આવવાના છે. મુંબઈમાં આજથી કાલાઘોડા ફેસ્ટિવલ જેવા અનેક જુદા જુદા કાર્યક્રમોની શરૂઆત થઈ ગઈ છે. એટલે તમે રેલવેનું આ ટાઈમટેબલ જોઈને જ તમારો પ્લાન બનાવજો. મુંબઈ રેલવેની મુખ્ય મધ્ય લાઇનમાં સવારે ૧૦.૫૦ વાગ્યાથી લઈને બપોરે ૩.૪૬ વાગ્યા સુધી બ્લોક લેવામાં આવવાનો છે. જેથી આ સમય દરમિયાન મધ્ય રેલવેના મુલુંડથી માટુંગા અપ માર્ગમાં ફાસ્ટ લાઇન પર દોડતી ટ્રેનોને અસર થવાની છે. આ સ્ટેશન વચ્ચે બ્લોકને લોધે બધી ફાસ્ટ ટ્રેનોને સ્લો લાઇન પર દોડાવવામાં આવશે જેથી ટ્રેનો ૧૫-૨૦ મિનિટ સુધી મોડી પડે એવી માહિતી રેલવે દ્વારા જાહેર કરવામાં આવી છે.

મધ્ય રેલવેના હાર્બર માર્ગમાં પણ કુર્લા-વાશી અપ અને ડાઉન માર્ગ પર સવારે ૧૧.૧૦ વાગ્યાથી બપોરે ૪.૧૦ વાગ્યા સુધી બ્લોક રાખવામાં આવ્યો છે. તેમ જ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી સવારે ૧૦.૩૪થી બપોરે ૩.૩૬ વાગ્યા સુધી વાશી, બેલાપુર અને પનવેલ જતી દરેક ટ્રેન સેવાને બંધ રાખવામાં આવશે, અને આ સાથે પનવેલ, બેલાપુર અને વાશીથી સવારે ૧૦.૧૬ વાગ્યાથી બપોરે ૩.૪૭ વાગ્યા સુધીની સીએસએમટી જતી બધી ટ્રેન સેવાને પણ રદ કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો