આમચી મુંબઈ

બૅંકોમાં પડ્યા છે રૂ. ૭૮,૦૦૦ કરોડ બિનવારસઃ સરકારની ઊંઘ હરામ, ભર્યું આ પગલું

મુંબઈ: બૅંકોમાં માર્ચ, ૨૦૨૪ સુધી રૂ. ૭૮,૦૦૦ કરોડ એવા પડ્યા છે જેના કોઇ દાવેદાર જ નથી. નાણાં મંત્રાલય અને સરકાર આ અંગે ઘણા દિવસથી ચિંતિત છે. બૅંકોને આવા પૈસા સેટલ કરવા માટે જાગરૂકતા પણ ફેલાવવી પડે છે.
દાવેદાર વગરના નાણાં (અનક્લેમ્ડ મની) આવી રીતે વધતા ન રહે તથા જેના પૈસા છે તેઓને અથવા તેમના પરિવારને તે મળી જાય તેની માટે કેન્દ્રીય કેબિનેટે બૅંકિંગના કેટલાક નિયમોમાં ફેરફાર કરવા માટે પગલાં લીધા છે. આ માટે કેબિનેટે મહત્ત્વના નિર્ણયો લીધા છે.

કેબિનેટે કહ્યું હતું કે આ ફેરફારમાં કોઇ પણ બૅંકના અકાઉન્ટ માટે એકથી વધુ નોમિની હોઇ શકશે. નોમિનીઝની સંખ્યા ચાર સુધી હશે જે હાલપર્યંત ફક્ત એક હતી. આ નાણાં માટે દાવેદાર ક્યારેય આવે જ નહીં અથવા ભવિષ્યમાં પણ અનક્લેમ્ડ મની વધતી જ જાય એ માટે પણ કેબિનેટે ઉપાય કાઢ્યો છે. આવા અકાઉન્ટમાં રહેલા ડિવિડન્ટ અને બૉન્ડના પૈસા ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોટેક્શન ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

અત્યાર સુધી ફક્ત બૅંકોના શેરના નાણા જ આ ફંડમાં ટ્રાન્સફર કરાતા હતા. આ સિવાય ઇન્શ્યોરન્સ એચક્યુએફ અકાઉન્ટ્સમાંથી પૈસા કાઢવા સંબંધિત કાયદામાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે એવા અકાઉન્ટ્સમાંથી સક્સેસિવ નોમિનીઝ અને સાયમન્ટેન્યિસ નોમિનીઝને પણ પૈસા કઢાવવાની પરવાનગી આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button