આમચી મુંબઈ

અટલ સેતુ પાર કર્યા બાદ પ્રવાસીઓને સહન કરવો પડશે ટ્રાફિક જામ

મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈ એમ બે શહેરો વચ્ચેનું અંતર ઓછું કરવા માટે દરિયાઈ પુલ બનાવવાનો ખ્યાલ ઘણા વર્ષો પહેલા રજૂ કરવામાં આવ્યો હતો. આખરે તે ખ્યાલ વાસ્તવિકતામાં પરિવર્તિત થઇ ગયો. વડા પ્રધાન મોદીના હસ્તે અટલ બિહારી વાજપેયી શિવડી-ન્હાવાશેવા બ્રિજનું ઉદ્ઘાટન થયું. આ પુલના નિર્માણ માટે ૧૭,૮૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જો કે અટલ સેતુ શરૂ થયા પછી પણ મુસાફરોની મુશ્કેલી તો ચાલુ જ રહેશે. આ પુલને કારણે નવી મુંબઈ જતા મુસાફરો વધુ ઝડપે શિવડી પહોંચશે. પરંતુ પછી તેમને તેમના ઇચ્છિત મુકામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કારણ કે આ પુલને જોડતા પ્રોજેક્ટનું કામ હજુ અધુરું છે.

એમએમઆરડીએ દ્વારા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક શિવડી-વરલી કનેક્ટરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેથી શિવડી આવતા વાહનોને સરળ ગતિએ ઉપનગરોમાં પહોંચી શકાય. પરંતુ આ બાંધકામ હજુ ૬૫ ટકા પૂર્ણ થયું છે. કનેક્ટરનું કામ પૂર્ણ થતાં હજુ એકથી દોઢ વર્ષનો સમય લાગશે. હાલમાં કનેક્ટર તૈયાર ન હોવાથી નવી મુંબઈથી આવતા અને ઉપનગરો તરફ જતા વાહનોને દક્ષિણ મુંબઈના માર્ગોનો ઉપયોગ કરવો પડશે.

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક દ્વારા માત્ર ૨૦થી ૨૫ મિનિટમાં મુંબઈ પહોંચી શકાય છે. પરંતુ શિવડીથી ઉપનગરો સુધી પહોંચવામાં ૩૦થી ૪૦ મિનિટ લાગી શકે છે. મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકથી આવતા વાહનોને સમાન ઝડપે વરલી પહોંચવા માટે ૪.૫ કિમી લાંબો અને ૧૭.૨૦ મીટર પહોળા કનેક્ટરનું કામ ચાલુ છે. તે આવતા વર્ષે પૂર્ણ થશે, ત્યાં સુધી ટ્રાફીક જામ રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો