આમચી મુંબઈ

બીએમસી ચૂંટણીમાં આદિત્ય ઠાકરે વિરુદ્ધ શ્રીકાંત શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી આગામી થોડા સમયમાં યોજાવાની શક્યતા છે ત્યારે રાજકીય વર્તુળોમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. મહાવિકાસ આઘાડી અને મહાયુતિના ઘટક પક્ષોએ હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીમાં, બધાનું ધ્યાન મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીઓ પર છે. બીએમસીમાં કોનો ઝંડો ફરકશે? મહાયુતિ કે મહાવિકાસ આઘાડી? તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે. આ બધા વચ્ચે એવું જાણવા મળ્યું છે કે મુંબઈ મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં આદિત્ય ઠાકરે વિરુદ્ધ શ્રીકાંત શિંદેનો જંગ જોવા મળશે.

જે માહિતી બહાર આવી છે તે મુજબ શિવસેનાના નેતા અને સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વ અને આયોજન હેઠળ શિવસેના શિંદે જૂથ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી લડશે. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મુંબઈ મહાનગરપાલિકાનો ચહેરો હશે અને શ્રીકાંત શિંદે નેતા અને આયોજક હશે. તેથી, હવે એવી શક્યતા છે કે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં શિવસેના ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરે અને શ્રીકાંત શિંદે સામસામે આવશે. આ બંનેમાં હવે કોના માથે તાજ આવે છે તે જોવાનું રહેશે.

બીજી તરફ, શિવસેના ઠાકરે જૂથે પણ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. બુધવારે મુંબઈ મનપાની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં, માતોશ્રી ખાતે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં ભૂતપૂર્વ કોર્પોરેટરોની એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, એવી માહિતી બહાર આવી રહી હતી કે ઉદ્ધવ ઠાકરેએ ભૂતપૂર્વ કોર્પોરેટરોને મનસે સાથે જોડાણ વિશે પૂછ્યું હતું. આ વખતે, માહિતી બહાર આવી રહી છે કે ભૂતપૂર્વ કોર્પોરેટરોએ મનસે સાથે જોડાણ માટે અનુકૂળ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

શિવસેના (યુબીટી) તરફથી મુંબઈ મનપાની ચૂંટણીનું નેતૃત્વ આદિત્ય ઠાકરેને સોંપવામાં આવ્યું છે, જ્યારે શિવસેના-શિંદે જૂથ તરફથી મુંબઈ મનપાની ચૂંટણી સંબંધે બધા જ અધિકારો શ્રીકાંત શિંદેને આપવાનો પ્રસ્તાવ મંજૂર કરી નાખવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button