પહલગામ હુમલા પછી પણ પાકિસ્તાન સાથે રમત રમવી યોગ્ય છે?: આદિત્ય ઠાકરે | મુંબઈ સમાચાર

પહલગામ હુમલા પછી પણ પાકિસ્તાન સાથે રમત રમવી યોગ્ય છે?: આદિત્ય ઠાકરે

સુરક્ષા અંગે સરકારની ટીકા કરી

મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલાને પગલે બંને દેશો વચ્ચે અત્યારે તણાવગ્રસ્ત વાતાવરણ છે ત્યારે આગામી એશિયા કપ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ અને હોકીની મેચ રમવાની ભારતના પગલાં પર યોગ્યતા પર શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ શુક્રવારે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો.

રાજ્ય વિધાનસભાના સંકુલમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધી ઘણા પ્રશ્ર્નો હજુ પણ અનુત્તરિત છે.

‘શું પાકિસ્તાન જ્યારે આપણી વિરુદ્ધ આતંકવાદને પ્રાયોજિત કરી રહ્યું છે ત્યારે તેની સાથે મેચ રમવી યોગ્ય છે? શું ભારતીય ટીમે પાકિસ્તાન સામે એશિયા કપ ક્રિકેટ અને હોકી ટુર્નામેન્ટ રમવી જોઈએ? અમે ભાજપ અને કેન્દ્ર સરકાર પાસેથી સ્પષ્ટ જવાબ માગીએ છીએ,’ એમ ઠાકરેએ કહ્યું હતું.

આ પણ વાંચો: આદિત્ય ઠાકરે કહે છે ‘મુદ્દાને ભાષાકીય રંગ ન આપો’

ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં શરૂ થનારી એશિયા કપ હોકી સાથે ભાજપની આગેવાની હેઠળની સરકારના પાણીની કસોટી કરી રહી હોય તેવું લાગે છે. ભારત યજમાન દેશ છે અને મેચ બિહારમાં રમાશે. શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યે કહ્યું હતું કે, એશિયા કપ દરમિયાન યુએઈમાં સંભવિત ક્રિકેટ મેચ માટે આ સ્થિતિ તૈયાર થઈ રહી છે.

જો બીસીસીઆઈ ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન સામે રમવાની મંજૂરી આપે છે, તો શું ભાજપ તેને અન્ય લોકોની જેમ રાષ્ટ્રવિરોધી ગણાવશે? એમ તેમણે પૂછ્યું હતું.

એશિયા કપ ટી-20 સપ્ટેમ્બરમાં યોજાવાની ધારણા છે, જ્યારે એશિયા કપ હોકી ટુર્નામેન્ટ 27 ઓગસ્ટથી બિહારમાં શરૂ થવાની છે.

ઠાકરેએ પહલગામ આતંકવાદી હુમલા અંગે કેન્દ્રના પ્રતિભાવ અને રાષ્ટ્રીય સુરક્ષાના સંચાલન અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: સરકાર વિપક્ષના ‘દબાણ’ હેઠળ ઝૂકી ગઈ: આદિત્ય ઠાકરે

‘પહેલા, પોલીસે આરોપીઓનો સ્કેચ બહાર પાડ્યો હતો, પરંતુ પછીથી એનઆઈએ દ્વારા તેને નકલી ગણાવવામાં આવ્યો હતો. ઓપરેશન સિંદૂર પછી, સરકારી પ્રતિનિધિમંડળો ઘણા દેશોમાં મોકલવામાં આવ્યા હતા જાણે કંઈ થયું જ ન હોય. શું આ રીતે રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ થાય છે?’ એમ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાને સવાલ કર્યા હતા.

‘હજુ પણ ઘણા અનુત્તરિત સવાલો છે. અમે મૌનને પ્રતિભાવ તરીકે સ્વીકારીશું નહીં,’ એમ પણ તેમણે કહ્યું હતું.
ઠાકરેએ દેશના રાજદ્વારી સંપર્ક અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

‘ભારતના વારંવાર વિરોધ છતાં, પાકિસ્તાનને વિશ્ર્વ બેંક અને એશિયન વિકાસ બેંક જેવી સંસ્થાઓ તરફથી નાણાકીય સહાય મળતી રહે છે. તેણે હવે યુએન સુરક્ષા પરિષદનું પ્રમુખપદ પણ સંભાળી લીધું છે. વિદેશ મંત્રાલયે તેના સંપર્કથી શું પ્રાપ્ત કર્યું છે?’ એવો સવાલ તેમણે કર્યો હતો.

ક્રિકેટ સંબંધો તરફ વળતાં, ઠાકરેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)ના અધ્યક્ષ જય શાહ પર આડકતરી ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ‘જો બીસીસીઆઈ પાકિસ્તાન સામે રમવાનો વિરોધ કરવાનું નક્કી કરે, તો પણ શું જય શાહના નેતૃત્વમાં આઈસીસી ખરેખર સાંભળશે ખરી?’

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button