ભારતીય સંસ્કૃતિ મુજબ નેવીમાં રેન્કનું નામ બદલવામાં આવશે: વડા પ્રધાન

અજીમો શાન શહેનશાહ
સિંધુદુર્ગમાં આયોજિત નેવી ડે કાર્યક્રમમાં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે છત્રપતિ શિવાજી મહારાજની છબી પાસેથી પસાર થયા ત્યારે ઝીલાયેલી અદ્ભૂત તસ્વીર. (એજન્સી)
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં ’નેવી ડે ૨૦૨૩’ સેલિબ્રેશન ઈવેન્ટમાં બોલતા કહ્યું હતું કે, “આપણા વારસા પર ગર્વ સાથે, મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે ભારતીય નૌકાદળમાં રેન્કનું નામ બદલાશે. સંસ્કૃતિ. અમે અમારા સંરક્ષણ દળોમાં મહિલા શક્તિ વધારવા પર પણ કામ કરી રહ્યા છીએ. હું નૌકાદળના જહાજ પર દેશની પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસરની નિમણૂક કરવા બદલ નૌકાદળને અભિનંદન આપવા માંગુ છું.”
પીએમ મોદીએ રાજકોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું અને સિંધુદુર્ગ કિલ્લા સહિત અનેક દરિયાકાંઠા અને દરિયાઈ કિલ્લાઓનું નિર્માણ કરનારા છત્રપતિ શિવાજી મહારાજના સમૃદ્ધ દરિયાઈ વારસાને શ્રદ્ધાંજલિ આપી હતી.
ભારતીય નૌસેના ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સખત મહેનત કરી રહી છે એમ તેમણે ઉમેર્યુ.
આ પ્રસંગે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ નેવીના જવાનોને સંબોધિત કર્યા હતા
સરકાર સશસ્ત્ર દળોમાં મહિલાઓની તાકાત વધારવા પ્રતિબદ્ધ
સિંધુદુર્ગમાં આયોજિત નેવી ડે કાર્યક્રમમાં બોલતાં વડા પ્રધાન મોદીએ કહ્યું કેસરકાર સશસ્ત્ર દળોમાં મહિલાઓની તાકાત વધારવા માટે પ્રતિબદ્ધ છે.
આજે, ભારત પોતાના માટે મોટા લક્ષ્યો નિર્ધારીત કરી રહ્યું છે અને હાંસલ કરવા સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરી રહ્યું છે,” તેમણે કહ્યું.
મોદી બાદમાં ભારતીય નૌકાદળના જહાજો, સબમરીન, એરક્રાફ્ટ અને વિશેષ દળો દ્વારા તારકરલી બીચ પર ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશનના સાક્ષી બન્યા હતા. (પીટીઆઈ)