આમચી મુંબઈ

મહેસૂલ વિભાગના બે અધિકારી સહિત ત્રણની લાંચના કેસમાં ધરપકડ…

થાણે: રત્નાગિરિ જિલ્લામાં જમીનના રેકોર્ડમાં નામ ઉમેરવા માટે લાંચ માગવા અને સ્વીકારવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ મહેસૂલ વિભાગના બે અધિકારી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. ત્રણેયની ઓળખ મ્હાપ્રાલના સર્કલ ઓફિસર અમિત શિગવાન અને તલાઠી શ્રીનિવાસ શ્રીરામે તથા મંદનગડના ડેપ્યુટી ટ્રેઝરી ઓફિસના પ્યૂન મારૂતિ ભોસલે તરીકે થઇ હતી, એમ એસીબીની રત્નાગિરિ બ્રાન્ચના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અવિનાશ પાટીલે કહ્યું હતું.

ફરિયાદીએ તાજેતરમાં પ્લોટ ખરીદ્યો હતો અને પ્લોટ અંગેના સત્તાવાર રેકોર્ડમાં તે પોતાની પત્નીનું નામ ઉમેરવા માગતો હતો. ભોસલેએ આ કામ શિગવાન અને શ્રીરામે મારફત કરાવી આપવાની ઓફર આપી હતી અને તે માટે 50 હજાર રૂપિયાની માગણી કરી હતી. આમાંથી 45 હજાર રૂપિયા ભોસલેએ લીધા હતા, પણ તેણે બંને અધિકારીને કોઇ રકમ આપી નહોતી.

બાદમાં શિગવાને કથિત રીતે કામ અટકાવી દીધું હતું અને કહ્યું હતું કે તેને 50 હજાર રૂપિયા મળ્યા નથી. આને કારણે ફરિયાદીને બાદમાં ત્રણેયને મળવું પડ્યું હતું. દરમિયાન શિગવાને રેકોર્ડ અપડેટ કરવા ફરિયાદી પાસે વધુ 30 હજાર રૂપિયાની માગણી કરી હતી, જેને પગલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક સાધ્યો હતો. એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવીને શિગવાનને 30 હજારની લાંચ સ્વીકારતાં પકડી પાડ્યો હતો. શિગવાને 15,500 રૂપિયા પોતાના માટે રાખ્યા હતા અન્ે 14,500 રૂપિયા શ્રીરામેને આપ્યા હતા. (પીટીઆઇ)

આપણ વાંચો: મ્યુનિસિપલ તિજોરી ખાલી કરી નાખી, હવે રાજ્ય સરકાર વળતર આપે: આદિત્ય ઠાકરે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button