આમચી મુંબઈ

કોલ્હાપુરમાં ભીષણ અકસ્માત

ગોવા-મુંબઈ બસ પલટી, એક જ પરિવારનાં ત્રણના મોત

મુંબઇ: કોલ્હાપુરના પુઈખડીમાં ખાતે એક ખાનગી ટ્રાવેલ બસનો ભયાનક અકસ્માત થયો હતો. ગોવાથી મુંબઈ જઈ રહેલી બસ કોલ્હાપુર શહેર નજીક પુઈખડીમાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. આ બસ બુધવારે રાત્રે આઠ વાગ્યે ગોવાથી નીકળી હતી. બસ મધરાતે બે વાગ્યે કોલ્હાપુરના પુઈખાડી પહોંચી તે દરમિયાન પલટી ગઈ હતી. આ બસ ખાનગી ટ્રાવેલ કંપનીની હોવાનું કહેવાય છે.
આ સ્લીપર કોચ બસ કોલ્હાપુર શહેર નજીક પુઈખડી વિસ્તારમાં રાધાનગરી રોડ પર વળાંક લેતી વખતે પલટી ગઈ હતી. આ અકસ્માતમાં પુણેના ત્રણ લોકોના મોત થયા છે. આ બસમાં ૨૫ જેટલા મુસાફરો હતા. બસ પલટી જતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ બસમાં ફસાયેલા મુસાફરોને બચાવી લીધા હતા. જ્યારે ચાર મુસાફરો બસની નીચે ફસાયા હતા, તેમને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલ મુસાફરોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો ૧૬ મુસાફરો સુરક્ષિત છે. આ અકસ્માતમાં નીલુ ગૌતમ (૪૩), રિદ્ધિમા ગૌતમ (૧૭) અને સાર્થક ગૌતમ (૧૩)નું મોત થયું હતું. કોલ્હાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને ચીફ ફાયર ઓફિસરે બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…