આંતરજ્ઞાતીય લગ્ન કરનારા યુગલોને સંરક્ષણ આપવા વિશેષ સેલ સ્થપાશે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

આંતરજ્ઞાતીય લગ્ન કરનારા યુગલોને સંરક્ષણ આપવા વિશેષ સેલ સ્થપાશે

મુંબઈ: આંતરજ્ઞાતીય લગ્ન કરવા ઇચ્છતા યુગલોની સુરક્ષા માટે અને ઓનર કિલિંગ જેવા ગુનાઓને રોકવા માટે દરેક જિલ્લામાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની આગેવાની હેઠળ એક વિશેષ સેલની સ્થાપના કરવામાં આવશે. આ સાથે આ યુગલોને પોલીસ કર્મચારીઓની સુરક્ષા સાથે ઘર પણ આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ગૃહ વિભાગે આ નિર્ણય લીધો છે. જિલ્લાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અથવા પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં વિશેષ ચેમ્બરની સ્થાપના કરવામાં આવશે જેમાં આંતર-ધાર્મિક અને આંતર-જ્ઞાતિ લગ્નોની ફરિયાદોની નોંધ લઇ કાર્યવાહી કરવામાં આવશે, તેમ ગૃહ વિભાગના આદેશમાં જણાવાયું છે. તેમ જ પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી તેમજ કોર્ટના આદેશની અમલીકરણની ત્રિમાસિક સમીક્ષા માટે દરેક જિલ્લામાં જિલ્લા કલેક્ટર હેઠળ કમિટી સ્થપાશે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button