આમચી મુંબઈ

માનવતસ્કરી બદલ અમદાવાદના વૃદ્ધ વિરુદ્ધ ગુનો દાખલ

મુંબઈ: નકલી કાર્ય અનુભવના પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને ત્રણ જણને યુનાઇટેડ કિંગડમ (યુકે) ખાતે ગેરકાયદે મોકલવાનો પ્રયાસ કરવા બદલ અમદાવાદના ૭૪ વર્ષના વૃદ્ધ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ચિત્તરંજન દવે શુક્રવારે વહેલી સવારે મોરિશિયસ જતી ફ્લાઇટ પકડવા માટે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ઇમિગ્રેશન કાઉન્ટર ખાતે હતો ત્યારે તેને પકડી પાડવામાં આવ્યો હતો.

ઇમિગ્રેશન અધિકારીને તુરંત ખ્યાલ આવ્યો હતો કે માનવ તસ્કરી માટે દવે વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. આથી તેને અટકાયતમાં લેવાયો હતો. બાદમાં તેની પૂછપરછ કરાઇ હતી, જેમાં તેણે કબૂલ્યું હતું કે ૨૦૧૬માં તેણે ગુજરાતથી કમસેકમ પંદર લોકોને અલગ અલગ યુરોપિયન દેશોમાં મોકલ્યા છે. ઇમિગ્રેશન અધિકારીએ પોલીસને જણાવ્યું હતું કે આરોપીના મોબાઇલમાં વિગતો તપાસતાં તે માનવ તસ્કરીમાં સંડોવાયેલો હોવાના નક્કર પુરાવા મળ્યા છે. એક વ્હૉટસઍપ ચેટમાં તો ખુલ્લેઆમ એવું લખાયું છે કે આરોપી નકલી કાર્ય અનુભવ પ્રમાણપત્રો મારફત લોકોને યુરોપમાં જવામાં મદદકરે છે.

આરોપી જેમને યુરોપિયન દેશોમાં મોકલતો એ તમામને એક કંપનીના કર્મચારી હોવાનું બતાવતો હતો. જોકે ઉમેદવારોએ યુકેમાં ગયા બાદ આ બોગસ દસ્તાવેજોને આધારે નોકરી માટે અરજી કરવાની રહેતી હતી. આરોપીના મોબાઇલમાંથી મળેલા પુરાવાને આધારે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ સહાર પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો