આમચી મુંબઈ

આકર્ષક વળતરની લાલચે વ્યવસાયિક સાથે 21 કરોડ રૂપિયાની છેતરપિંડી

થાણે: આકર્ષક વળતરની લાલચે પોતાની કંપનીમાં રોકાણ કરવા પ્રેર્યા બાદ પ્રિન્ટિંગ ઍન્ડ પૅકેજિંગના વ્યવસાયિક સાથે 21 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે થાણે પોલીસે ત્રણ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ચિતળસર પોલીસ સ્ટેશનમાં બુધવારે નોંધાયેલા એફઆઈઆર અનુસાર પ્રવીણકુમાર અગ્રવાલ, સોનલ પ્રવીણકુમાર અગ્રવાલ અને સુરેન્દ્રકુમાર ચંદ્રાએ 43 વર્ષના ફરિયાદીને તેમની આર. જે. એડ્વેન્ચર્સ ઍન્ડ રિયાલિટી પ્રાઈવેટ લિમિટેડમાં આર્થિક રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી હતી. આરોપીની વાતોમાં આવી ફરિયાદીએ માર્ચ, 2016થી કંપનીમાં પચીસ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

આ પણ વાંચો : થાણેમાં જ્વેલર્સને લૂંટવા આવેલા લૂંટારાઓનો હવામાં ગોળીબાર

જોકે ફરિયાદીને કોઈ વળતર ન મળતાં તેણે પૂછપરછ કરી હતી. વારંવારની પૂછપરછ પછી આરોપીએ ફરિયાદીને ચાર કરોડ રૂપિયા આપ્યા હતા, પરંતુ બાકીના 21 કરોડ રૂપિયા અને નફાની રકમ ફરિયાદીને આપવામાં આવી નહોતી.

વારંવારની માગણી છતાં નાણાં પાછાં ન મળતાં આખરે ફરિયાદીએ ચિતળસર પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે?