આમચી મુંબઈ

દેવનારમાં ૨૦૦ ગેરકાયદે બાંધકામનો સફાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવનારમાં તાનાજી માલુસરે ચોકમાં રહેલા ૨૦૦ જેટલા ગેરકાયદે બાંધકામને મુંબઈ મહાનગરપાલિકાના એમ-પૂર્વ વોર્ડ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ બાંધકામ હટવાની સાથે જ હવે અહીં શેલ્ટર હોમ, કેર સેન્ટર, વદ્ધાશ્રમ બનાવવાને આડે રહેલી અડચણ દૂર થઈ છે.

પાલિકાના જણાવ્યા મુજબ દેવનારમાં તાનાજી માલુસરે ચોકમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ ઊભા થઈ ગયા હતા. આ બાંધકામને કાયદેસર રીતે નોટિસ આપી અને તમામ પ્રકારની પ્રશાસકીય પ્રક્રિયા પૂરી કર્યા બાદ હટાવવામાં આવ્યા હતા. આ બાંધકામ હટાવવા માટે આ અગાઉ પાંચ વખત ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાર્યવાહી બાદ પણ આ ઠેકાણે ફરી અતિક્રમણ થઈ જતા હતા. તેથી આ વખતે વધુ આકરી કાર્યવાહી કરીને અહીં ફરી ગેરકાયદે બાંધકામ ઊભા થાય નહીં તેની કાળજી લેવામાં આવશે એવું પાલિકાએ જણાવ્યું હતું.

બાંધકામ હટાવ્યા બાદ હવે અતિક્રમણ મુક્ત થયેલા આ પ્લોટ પર સંબંધિત આરક્ષણ મુજબ મહિલા કર્મચારીઓ માટે શેલ્ટર હોમ, કેર સેન્ટર, વૃદ્ધાશ્રમ, આધાર સેન્ટર અને સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર જેવી જુદી જુદી નાગરી સુવિધા વિકસીત કરવામાં આવવાની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો