આમચી મુંબઈ

મુંબઇ – થાણેની ૨૦૦ દવાની દુકાનોમાં ‘ફાર્માસિસ્ટ’ નથી

મુંબઈ: દવાની દુકાનોમાં કાયદાકીય રીતે ફાર્માસિસ્ટ હોવું ફરજિયાત છે. જોકે, મુંબઈ અને થાણેમાં ૨૦૦થી વધુ દુકાનોમાં કોઈ ફાર્માસિષ્ટ ન હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા કડક કાર્યવાહી કરવી જરૂરી છે, પરંતુ તેની અવગણના કરી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પ્રિસ્ક્રિપ્સનમાં ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા દર્દીને યોગ્ય રીતે આપવામાં આવે તે સુનિશ્ર્ચિત કરવા માટે, દવાઓનું વેચાણ કરતી દુકાનોમાં ફાર્માસિસ્ટ હોવું ફરજિયાત છે. જો ફાર્માસિસ્ટ ન હોય તો ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા દુકાન માલિકનું લાઇસન્સ રદ કરી કાર્યવાહી
થઈ શકે છે. દવાના વિક્રેતાઓએ
ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની રમફળરલ.ળફવફફિતવિિંફ.લજ્ઞદ.શક્ષ આ વેબસાઇટ પર રજિસ્ટર કરવું ફરજિયાત છે. મેડિકલમાં ફાર્માસિસ્ટ છે કે નહીં તેની તપાસ કરવાની જવાબદારી એફડીએની છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?