શિયાળુ અધિવેશન દરમ્યાન નાગપુરમાંથી દોઢસો જીવંત કારતૂસ મળી આવતાં ખળભળાટ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

શિયાળુ અધિવેશન દરમ્યાન નાગપુરમાંથી દોઢસો જીવંત કારતૂસ મળી આવતાં ખળભળાટ

નાગપુર: ઉપ-રાજધાની નાગપુરમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે જ નાગપુરમાં મોટા પ્રમાણમાં જીવંત કારતૂસોનો જથ્થો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. ૧૧ હજાર પોલીસની ફોજ આખા શહેરમાં તહેનાત હોવા છતાં મિટ્ટીખદાન પોલીસ સ્ટેશનની હદમાં ગોરેવાડા માર્ગ પર પુલની નીચે આવેલા નાળામાં ૧૫૦થી વધુ કારતૂસો મળી આવી હતી. શનિવારે બપોરે ૧૨ વાગ્યે કારતૂસો મળી આવ્યા બાદ પોલીસની ભાગદોડ વધી ગઇ હતી.

મિટ્ટીખદાન પોલીસ સ્ટેશનના અધિકારીએ આપેલી માહિતી અનુસાર શનિવારે બપોરે ૧૨ વાગ્યે એક નાગરિક લઘુશંકા માટે પુલ પર ઊભો હતો ત્યારે તેને એક થેલીમાં કારતૂસોનો જથ્થો દેખાયો હતો. આ અંગે તેણે પોલીસને જાણ કરી હતી. નાયબ પોલીસ કમિશનર રાહુલ મદને અન્ય અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બોમ્બ ડિટેક્શન
એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (બીડીડીએસ)ને પણ બોલાવી લીધી હતી.

બીડીડીએસે તપાસ અર્થે ત્રણ કલાક સુધી આ વિસ્તારને ખૂંદ્યો હતો. જોકે અન્ય કોઇ વાંધાજનક વસ્તુઓ મળી આવી નહોતી. આ અંગેની માહિતી મળતાં જ આતંકવાદી વિરોધી શાખા પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. શું આતંક ફેલાવવા માટે આ કારતૂસનો વપરાશ કરવામાં આવવાનો હતો, એવી ચર્ચા આ વિસ્તારમાં થઇ હતી. જોકે પોલીસે અત્યંત આ અંગે કોઇ ફોડ પાડ્યો નહોતો.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button