આમચી મુંબઈ

બહારના ખાવાથી ચેતજો! મુંબઇમાં 12 લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં દાખલ

મુંબઇઃ આકરા તાપના દિવસો ચાલી રહ્યા છે. એવા સમયે બહારનો, વાસી, તળેલો ખોરાક ખાવાથી આરોગ્યની સમસ્યા થઇ શકે છે, તેથી લોકોને ગરમીના સમયમાં બહારનું ખાવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. રવિવારે મુંબઇના ગોરેગામ વિસ્તારમાં ખોરાકી ઝેરની અસરની આવી જ એક આઘાતજનક ઘટના જાણવા મળી હતી.

ગોરેગાંવ પૂર્વના વિસ્તારમાં ચીકન શોરમા ખાધા પછી બીમાર પડતા 12 થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, જે લોકો બીમાર પડ્યા છે તેમને ફૂડ પોઈઝનિંગ માટે સારવાર આપવામાં આવી રહી છે. જો કે, 12 માંથી 9 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે બાકીના 3 હજુ પણ ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે. અહેવાલોમાં જણાવાયું છે કે સ્ટ્રીટસાઇડ ફૂડ, ચીકન શોરમાની ગુણવત્તા સારી ન હતી જેના કારણે આ ઘટના બની હતી.

આ ઘટના પર પ્રકાશ પાડતા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે “શુક્રવાર અને શનિવારે 12 લોકોએ ફૂડ પોઈઝનિંગની ફરિયાદ કરી હતી. તેઓને પાલિકા સંચાલિત MW દેસાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી નવ લોકોને રજા આપવામાં આવી હતી, જ્યારે અન્ય ત્રણની સારવાર ચાલી રહી છે.” પીડિતોની ફરિયાદના આધારે ખાણીપીણીના સ્ટોલવાળા વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ