આમચી મુંબઈ

મુંબઈની ૧,૧૪૬ સ્કૂલમાં થશે ‘મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ જીવન ચરિત્ર સ્પર્ધા’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગ દ્વારા મુંબઈની ૧,૧૪૬ સ્કૂલોમાં ૧૦થી ૧૭ જાન્યુઆરી વચ્ચે શ્રી રામના જીવન પર ડ્રોઈંગ, કવિતા, નિંબધ અને નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવી હોવાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી.

ગયા મહિને ઉપનગરના પાલક પ્રધાને પાલિકાના શિક્ષણ વિભાગને આવી સ્પર્ધાનું આયોજન કરવા માટે પત્ર લખ્યો હતો, જેની સામે સમાજવાદી પાર્ટીના સભ્યોએ વિરોધ પણ કર્યો હતો અને મુંબઈ મહાનગરપાલિકાની શાળાઓમાં ભગવાકરણ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

મંગળવારે પાલક પ્રધાન અને પાલિકાના શિક્ષણ વિભાગે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી હતી એ દરમિયાન પાલક પ્રધાને સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ સ્પર્ધામાં ભાગ લેવો ફરજિયાત નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…