મેટિની

ઇન્ટનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં શોર્ટ ફિલ્મ ‘ઓધ’ને મળ્યો સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર

સાંપ્રત -રાજેશ યાજ્ઞિક

રમણીય ગોવાના ઘટી રહેલા સમુદ્ર કિનારાના નાવીન્યપૂર્ણ વિષયની તાજગી વાળી અને વિચારપ્રેરક ફિલ્મ ‘ઓધ’ને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ૫૪માં એડિશનમાં આયોજિત ‘૭૫ ક્રિએટિવ માઈન્ડસ ઓફ ટુમોરો’ માં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો.

આ પ્રસંગે બોલતા, દિગ્દર્શક શૂજિત સિરકરે, જેઓ ૭૫ સીએમઓટીના જ્યુરી મેમ્બરમાંના એક પણ હતા, જણાવ્યું હતું કે ‘ધ મિશન લાઇફ’ થીમ પર ૪૮ કલાકમાં આત્મનિરીક્ષણ, આશા, વિરોધ વગેરે જેવી બધી લાગણીઓને સમર્પિત એક ટૂંકી ફિલ્મ બનાવવી એ અકલ્પનીય છે.

આ સ્પર્ધાની કલ્પના એનએફડીસી દ્વારા શોર્ટ્સ ઇન્ટરનેશનલના સહયોગમાં કરવામાં આવી છે. સીએમઓટી સહભાગીઓએ વર્લ્ડ સિનેમાના માસ્ટર્સ દ્વારા ક્યુરેટ કરાયેલ વર્કશોપ અને માસ્ટરક્લાસ સત્રોમાં પણ હાજરી આપી હતી.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી, શ્રી અનુરાગ સિંહ ઠાકુરની પરિકલ્પના અને પહેલનો ઉદ્દેશ્ય ફિલ્મ નિર્માણના વિવિધ વ્યવસાયોમાંથી યુવા સર્જનાત્મક પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનો અને તેનું સંવર્ધન કરવાનો છે. આ પહેલ તેના ત્રીજા વર્ષમાં છે, જે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીના ભાગરૂપે ભારતની આઝાદીના ૭૫માં વર્ષ નિમિત્તે ૨૦૨૧માં શરૂ કરવામાં આવી હતી.
શોર્ટ્સ ટીવીના જ્યુરી સભ્ય અને સીઈઓ, કાર્ટર પિલ્ચરે ઉમેર્યું હતું કે યુવા સર્જનાત્મક દિમાગને તેમની પ્રતિભા દર્શાવવા માટે સીએમઓટી જેવું પ્લેટફોર્મ પૂરું પાડવાનો ખ્યાલ અસાધારણ છે. ફિલ્મ ચેલેન્જના ભાગરૂપે, ૭૫ સીએમઓટી સહભાગીઓને પાંચ ટીમોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા જેમણે ૪૮ કલાકમાં મિશન લાઇફ’ વિષય પર ટૂંકી ફિલ્મો બનાવી હતી.

વિજેતાઓને અભિનંદન આપતાં, શ્રી પ્રિતુલ કુમાર, સંયુક્ત સચિવ (ફિલ્મ), માહિતી અને પ્રસારણ મંત્રાલય અને મેનેજિંગ ડિરેક્ટર, એનડીએફસીએ ફિલ્મ નિર્માણમાં સાચી સામગ્રીને ઓળખવાના મહત્વ પર પ્રકાશ ફેંક્યો જે ભારતને વૈશ્વિક સ્તરે સ્થાન આપશે. “સીએમઓટી ભારતભરના યુવા સર્જનાત્મક
દિમાગ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે જેઓ સારી
સામગ્રી સાથે ફિલ્મો બનાવવા માટે પ્રેરિત છે, તેમણે કહ્યું.

ઓધ ફિલ્મની વાર્તા: માર્સેલિન નામનો માછીમાર, પાર્કિંગની જગ્યા શોધવાના પ્રયાસમાં તેની બોટને શહેરની મધ્યમાં લઈ જાય છે. તેની ફરિયાદ છે કે બીચ ચોરાઈ ગયો છે અને તેની પાસે પાર્ક કરવા માટે જગ્યા બચી નથી. આ ફિલ્મ દરિયાની સપાટીમાં વધારો અને દરિયાકિનારા પર મોટા પાયે બાંધકામો થવાને કારણે ગોવાની બીચ લાઇન ઘટવાના મુદ્દાને સંબોધિત કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress