મેટિની

ફોકસ : હિન્દી ફિલ્મોની અસર હવે કેમ ઓસરી રહી છે?

  • ડી. જે. નંદન

અગાઉ જ્યારે બોલિવૂડની 10માંથી 5 ફિલ્મો સફળ થતી હતી અને ઓછામાં ઓછી બે ફિલ્મો પોતાનો ખર્ચો જેમ તેમ કાઢી લેતી હતી. એ અલગ વાત છે કે, જે ફિલ્મો સફળ થાય છે, તેની માટે તો સો કરોડનો ધંધો કરવો તે સાવ મામુલી બાબત છે. પરંતુ જેવી રીતે કારોબારી સફળતા અમુક ગણ્યાંગાઠ્યાં કોર્પોરેટ વ્યૂહરચનાત્મક બાિેલવૂડ ફિલ્મોના ભાગે આવી રહી છે અને વઘારે ફિલ્મો ફ્લોપ થઈ રહી છે

છેલ્લાં દસ વર્ષોમાં બોલિવૂડે એવો કોઈ પણ હીરો નથી આપ્યો જે એક જમાનામાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અથવા શાહરુખ ખાન જેવો હીરો રહ્યો હોય પરંતુ સચ્ચાઈ તો એ છે કે, આજે બોલવૂડમાં કોઈ એવો ચહેરો જ નથી કે જેના દમ પર કોઈ પણ ફિલ્મના સુપરહિટ થવાની ઓછામાં ઓછી 50 ટકાની સાચી ગેરેંટી તો હોય. આજની બધી ફિલ્મો પોતાના વ્યૂહરચનાત્મક સમીકરણોના ચાલતા સુપરહિટ અથવા સુપર ફ્લોપ સાબિત થાય છે. વાસ્તવમાં બોલિવૂડનું જે પોતાનું એક પ્રાકૃતિક વ્યવસાયિક ઈકોસિસ્ટમ સમીકરણો હતા, એ પાછલા બે દાયકાની અંદર ઘણા કારણોથી ખલાસ થઈ ગયું છે અને અંતિમ શ્ર્વાસ ગણી રહ્યું છે.

બોલિવૂડને કયારેક ભારતીય સાંસ્કૃતિક જીવનનો અરીસો અને મનોરંજન ઉદ્યોગનો આત્મા કહેવામાં આવે છે, આજે એ જ કોર્પોરેટ ષડયંત્ર રાજનીતના જાળમાં ફસાઈને મરી રહ્યું છે. આજે આનું સંકટ માત્ર ટિકિટ બારી પર ઓછી થતી ભીડ અથવા ફ્લોપ ફિલ્મોની વધતી સંખ્યા જ નહીં પરંતુ તેનુ નેચરલ ઈકો સિસ્ટમ પૂર્ણરૂપે વિખેરાઈ ગયો છે. આજે ન તો બોલિવૂડના ડાયરેકટર અને પ્રોડ્યુસરને દર્શકોના મનોરંજન ટેસ્ટની ચિંતા છે, ન કે તેના ખિસ્સાની કે ન તો ફિલ્મના ડાયરેકટર અને પ્રોડ્યુસર એમને ધ્યાનમાં લઈ ફિલ્મ બનાવે છે. ગ્લોબલ ક્ધટેન્ટ, ડબિંગ અને વૈશ્વિક ફૈન ફોલોઈંગ અથવા એવી કોઈ કૃત્રિમ ખુબીઓ છે, કે ગણીગાંઠી ફિલ્મોમાં જ થઈ શકે છે. કારણકે ડાયરેકટર અને પ્રોડ્યુસર વઘારે દર્શકોની ચિંતા જ નથી કરતાં.

આજ કારણોથી હવે હિંદુસ્તાનમાં બનવાવાળી હિંદી ફિલ્મોની અસર હવે આપણા સમાજ પર નથી પડતી. પહેલા કોઈ નવી ફિલ્મ આવતી તો તેના ગીતો જ નહીં એના ડાયલોગ પણ બઘાને યાદ રેહતાં હતાં. મોટાભાગે લોકો તે ફિલ્મની ચર્ચા કરતાં જોવા મળતાં. જ્યારે આજે તો ફિલ્મના ક્રિટિક્સને ઘણીવાર ફિલ્મો માટે ખબર જ નથી હોતી. પહેલા ફિલ્મોમાં થોડી કમાઈ હતી, પરંતુ આકર્ષણ ઘણું હતું. હજારો લોકોને કામ મળતું હતું, લાખો લોકોની આશા રહેતી હતી. જ્યારે આજની હાલત એવી છે કે, જે લોકપ્રિય કલાકારોને નામ મળી રહ્યું છે તેની પાસે તો કામની કોઈ સીમા જ નથી અને તેની કમાઈનો કોઈ હિસાબ જ નથી. બાકીના 99.99 ટકા ને તો કામ અને પૈસાના પણ વાંધા છે. આ ઈકોસિસ્ટમ કોઈ પણ કારોબારને આગળ વધવામાં મદદરૂપ ન જ થઈ શકે, ફિલ્મ જગત સાથે અત્યારે એ જ થઈ રહ્યું છે.

આજે એવી હાલત છે કે, બે દાયકા પહેલા ફિલ્મ જગતના લેખક, ગીતકાર, ડાયલોગ રાઈટરની પાસે ઠીકઠાક કામ હતું અને તેમની માર્કેટમાં થોડી વેલ્યૂ હતી, તેમને પણ માર્કેટમાં કામ નથી મળી રહ્યું અને તેનું કારણ એ છે કે, આજે પણ અમુક કોર્પોરેટ કંપનીઓ અથવા થોડા ઘણા તેમના જ વર્તુળના લોકોને ફિલ્મ બનાવવા અને આ ધંધાને પોતાના ઈશારા પર નચાવવાની ક્ષમતા રાખે છે, તેઓ જ બઘું કરી નાખે છે. આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારા લેખક, સારા ગીતકાર, સારા ડાયરેકટર અને સારા ડાયલોગ રાઈટરની કોઈ અલગથી પરિભાષા અથવા વેલ્યૂ જ નથી સિવાય કે તે કેટલો મોટો સેલિબ્રીટી છે. જો કે બોલિવૂડે જાણીજોઈને આ વાતાવરણ ઊભું કર્યું છે જેથી બહુરાષ્ટ્રીય ઉદ્યોગોના ઉત્પાદનો વેચવામાં નિપુણ અમારા સમાજના દલાલોને વ્યવસાય પણ બહારથી તૈયાર મળી જાય. જ્યારે પહેલા આપણે ત્યાં નાની નાની ફિલ્મો આપણા બધાની ભાવનાઓ, આપણા બધાની પોતાની લાઈફની અનુભૂતિ પર બનતી હતી.

આપણ વાંચો:  ફિલ્મનામા: ઓન સ્ક્રીન આમ આદમી… ઓફ સ્ક્રીન એગ્રી યંગમેન!

આજે જયારે મનોરંજન ઉદ્યોગની પહોંચ એક આંગળીના ટેરવા પર હોય એટલે કે, સતત આપણા હાથમાં રહેતા ફોનમાં આખું મનોરંજન ઉદ્યોગ સમાઈ ગયું છે, ત્યારે આપણનેે ઓરિજિનલ રાઈટર, ઓરિજિનલ વાર્તા કે ઓરિજિનલ ઈમોશન્સની જરૂર નથી વર્તાતી. આપણને લાગે કે, એઆઈની મદદ વડે આપણે કોઈ પણ વસ્તુને અલગ રીતે બનાવીને પ્રેઝન્ટ કરી શકીયે. એ એક કાલ્પનિક કલ્પના છે. આ લાલચ અને ભ્રમએ સ્થાનિક લોકોને, સ્થાનિક ફિલ્મો, સ્થાનિક વાર્તાઓ, સ્થાનિક નાટકોથી દૂર કરી દેવાયા છે. આપણો આજનો બોલિવૂડ ઉદ્યોગ એક એવા માફિયાના કબજામાં છે, જે આખા ધંધાને પોતાની મુઠ્ઠીમાં જકડી શકે છે. કારણકે, આ માફિયાને કોઈ જાતના નુકસાનની પડી જ નથી કારણકે, નુકસાન કરવાવાળો એના મુકાબલે કોઈ છે જ નહીં. તેથી જ બોલીવુડનું માકે્રટ જ નહીં પરંતુ બોલિવૂડની આખી દુનીયા ગ્લોબલ હોવાના નામ પર બિલકુલ અજાણી, કૃત્રિમ અને ખોટી થઈ ગઈ છે. જો થોડાઘણા આપણા મનોરંજન પ્રેમી કલાકારો જો ઊઠીને સોમે નહીં આવે અને દેશી ભાવનાઓનો રંગ ન ભરીયે તો આ ઉદ્યોગ હંમેશ માટે સંકટમાં પડી જશે. પછી ભલે મુઠ્ઠીભર કોર્પોરેટ કંપનીઓની મનોરંજન ઉદ્યોગની કમાણી લાખોમાં આંકવામા આવે, પરંતુ આ ઈન્ડસ્ટ્રી પર નિર્ભર 40 થી 50 લાખ લોકો ભૂખ્યા મરી જશે અથવા આ દુનિયાને છોડીને ચાલ્યા જશે. વાસ્તવમાં જે રીતે આજે એક ફિલ્મ બનવા માટે સેંકડો કરોડો રૂપિયા લાગી રહયાં છે અને ત્યારબાદ તેના પ્રમોશન પર પણ એટલા જ રૂપિયા અથવા તેનાથી વધારે ખર્ચો આવી શકે, જેને કારણે આમ મનોરંજન પ્રેમી ન તો પોતાની ફિલ્મ બનાવી શકે છે અને તેના માટે વિચારી પણ નથી શકતું. આ માત્ર પૈસાની દ્રષ્ટિએ જ નથી. આવા લેખક, આવા કલાકારો કે જેમાં દેશનું કુદરતી જીવન ધડકે છે, તેમને પણ ઈન્ડસ્ટ્રીમાં કોાઈ પૂછતું નથી કારણકે, ઈન્ડસ્ટ્રીને ગ્લોબલ ભાવનાઓથી ભરેલા એવા લોકો જાઈએ છે કે, જે દુનિયાના કોઈ પણ ખૂણામા જોવામાં આવે છે. બોલિવૂડને હવે સમજાય છે કે, આ એવો એક ગંભીર ભયાનક રોગ છે જે તેની કબર ખોદી નાખશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button