ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

વાવાઝોડાની માઠી અસર! દક્ષિણથી આવનારી ટ્રેન રદ, તિરુપતિમાં ફસાયા મુસાફરો

નાગપૂર: મિગઝોમ વાવાઝોડાને કારણે રેલ સેવા અને વિમાન સેવા પર માઠી અસર થઇ છે. આ વાવાઝોડાને કારણે દક્ષિણથી આવનારી ટ્રેનો રદ કરવામાં આવી છે. જેને કારણે તિરુપતિમાં મુસાફરો ફસાઇ ગયા છે. આ મુસાફરોમાં સૌથી વધુ મહારાષ્ટ્રના લોકો છે.

મિગઝોમ વાવાઝોડાને કારણે રેલવેએ 114 ટ્રેન રદ કરી છે. જેમાં નાગપૂરની 35થી વધુ ટ્રેન છે. બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થતાં દક્ષિણ ભારતમાં આવેલ વાવાઝોડાને કારણે ચેન્નઇ સહિત આસપાસના વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે. તેથઈ સલામતીના ભાગ રુપે રેલવે દ્વારા 114 ટ્રેન રદ કરવામાં આવી છે.
આ વાવાઝોડુ આંધ્ર પ્રદેશની દિશામાં આગળ વધી રહ્યું હોવાથી તેની વિમાન સેવા સાથે રેલ સેવા પર પણ માઠી અસર પડી છે. 7 ડિસેમ્બર સુધી તમામ ટ્રેન રદ કરવામાં આવી છે. દક્ષિણ તરફથી આવનારી અને નાગપૂર તરફ જનારી જીટી એક્સપ્રેસ, કેરલા એક્સપ્રેસ, તમિલનાડૂ એક્સપ્રેસ, ગોરખપૂર એક્સપ્રેસ, ચેન્નઇ-છપરા એક્સપ્રેસ, ચેન્નઇ-જયપુર એક્સપ્રેસ જેવી મહત્વની ટ્રેનોનો સમાવેશ છે.


ટ્રેન અને પ્લેન સેવા રદ થતાં અનેક મુસાફરો તિરુપતીમાં ફસાયા છે. આ મુસાફરોમાં મોટાભાગના લોકો મહારાષ્ટ્રના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…