મહારાષ્ટ્ર

…ખેડૂતોના નામે જ્યારે પેકેજ મળતા ત્યારે વચ્ચે લૂંટાતાઃ PM Modiએ વિપક્ષોની કરી ટીકા

મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે છે અને અહીં યવતમાળમાં મોદીના હસ્તે અનેક યોજનાઓ અને પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધનની ટીકા કરતા કહ્યું હતું કે આજે જો કોંગ્રેસની સરકાર હોત તો તમને જે 21,000 કરોડ મળ્યા છે, તેમાંથી 18,000 કરોડ તો વચ્ચેથી લૂટી લીધા હોત.

આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્રમક મિજાજમાં વિપક્ષ ઉપર પ્રહારો કર્યા હતા. કિસાન સન્માન ભંડોળનો 2,000 રૂપિયાનો 16મો હપ્તો ખેડૂતોને પહોંચાડતા મોદીએ વિપક્ષ ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે યાદ કરો કે જ્યારે કેન્દ્રમાં વિપક્ષી પાર્ટીઓની સરકાર હતી ત્યારે શું થતું હતું.

એ વખતે કૃષિ ખાતના કેન્દ્રીય પ્રધાન યવતમાળના જ હતા, ત્યારે વિદર્ભના ખેડૂતો માટે મોકલવામાં આવતું પેકેજ વચ્ચે જ લૂંટી લેવામાં આવતું હતું. દિલ્હીથી એક રૂપિયો મોકલવામાં આવતો હતો અને ખેડૂત પાસે પહોંચતા હતા ફક્ત પંદર પૈસા.

તેમણે કૉંગ્રેસના રાજ સમયે ભ્રષ્ટાચાર થતો હોવાનું કહેતા જણાવ્યું હતું કે આજે જો કૉંગ્રેસની સરકાર હોત તો 21,000 કરોડ રૂપિયામાંથી 18,000 કરોડ રૂપિયા તો વચ્ચે જ લૂંટાઇ જાત. ભાજપની સરકારમાં એકે એક પૈસો લાભાર્થીને મળે છે તેમના ખાતામાં જમા થાય છે. આ મોદીની ગેરન્ટી છે. દેશવાસીઓનું જીવન બદલવા માટે મિશન લઈને નીકળ્યા છે. છેલ્લા 10 વર્ષમાં જે કંઈ કર્યું છે એ પચીસ વર્ષનો પાયો છે. ભારતના દરેક ખૂણે વિકાસ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress