મહારાષ્ટ્ર

ભવિષ્ય તરફ જોનારાઓએ ભૂતકાળ પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ: સંજય રાઉત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અલગ થયેલા પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે સમાધાનની અટકળો વચ્ચે શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે તેમનો પક્ષ ભૂતકાળ તરફ નહીં, ભવિષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.

રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના નેતાઓએ શુક્રવારે કહ્યું હતું કે શિવસેના (યુબીટી)એ તેમના પક્ષના પ્રમુખને એક પ્રસ્તાવ મોકલવો જોઈએ અને ધ્યાનમાં લાવી આપ્યું હતું કે જ્યારે તેઓએ 2014 અને 2017માં અવિભાજિત શિવસેના સાથે જોડાણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ઠંડો પ્રતિસાદ મળ્યો હતો, ત્યારબાદ રાઉતે આ નિવેદન આપ્યું છે.

આ પણ વાંચો: સંજય રાઉત આસપાસ હોય ત્યારે ઉદ્ધવને રાજકીય દુશ્મનની જરૂર નથી: ગિરીશ મહાજન

પત્રકારો સાથે વાત કરતા રાઉતે કહ્યું હતું કે, ‘જેઓ સકારાત્મક પગલાં લેવા માગે છે તેઓ પાછળ ફરીને જોતા નથી. અમે ભવિષ્ય તરફ જોઈએ છીએ. તમે ભૂતકાળ પર ક્યાં સુધી ધ્યાન કેન્દ્રિત કરશો.’

શુક્રવારે ઉદ્ધવ ઠાકરેએ બે પ્રાદેશિક પક્ષો વચ્ચે જોડાણની શક્યતા અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું કે મહારાષ્ટ્રના લોકો જે ઈચ્છે છે તે થશે.

જોકે, તેમણે તેમના પક્ષ અને 2006માં રાજ ઠાકરે દ્વારા શરૂ કરાયેલ સંયુક્ત શિવસેનાના અલગ થયેલા જૂથ મનસે વચ્ચે કોઈ જોડાણની વાટાઘાટો થઈ રહી છે કે કેમ તે અંગેના સવાલોેને ટાળી દીધા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button