મહારાષ્ટ્ર

પ્રફુલ્લ પટેલ કેબિનેટ બર્થની રાહમાં, રાજ્યસભાની સીટની ઉમેદવારી પર ભુજબળ નારાજ, આમ કેમ ચાલશે અજિત પવારની પાર્ટી?

મહારાષ્ટ્રની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં મહત્વકાંક્ષાઓનો ટકરાવ જોવા મળી રહ્યો છે. સિનિયોરિટી પ્રમાણે તેમની પસંદગીનો પોર્ટફોલિયો નહીં મળવાનું કારણ જણાવી પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ કેન્દ્રીય કેબિનેટમાં જોડાયા ન હતા. તેમના સ્થાને જ્યારે રાયગઢ બેઠક પરથી લોકસભા ચૂંટણી જીતેલા સુનીલ તટકરે કેન્દ્રીય મંત્રી પરિષદમાં રાજ્ય મંત્રી તરીકે જોડાવા તૈયાર થયા ત્યારે પ્રફુલ્લ પટેલે તેમને રોક્યા હતા. હવે NCP (SP)માં ફરી વિવાદ ચાલી રહ્યો છે.

પ્રફુલ પટેલે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ અને NCP (SP) દ્વારા ગેરલાયકાતની કોઈપણ કાર્યવાહીને રોકવા માટે ફેબ્રુઆરીમાં યોજાનારી દ્વિવાર્ષિક ચૂંટણી દરમિયાન ફરીથી ચૂંટાઈ આવવાનું પસંદ કર્યા પછી રાજ્યસભાની ચૂંટણીઓ જરૂરી બની છે.

NCP નેતૃત્વએ અજિત પવારની પત્ની સુનેત્રા અથવા તેમના પુત્ર પાર્થમાંથી એકની પસંદગી કરવાની હતી. પાર્ટીએ સુનેત્રા પવારને નોમિનેટ કરવાનો નિર્ણય લીધો હતો. બારામતીથી લોકસભાની ચૂંટણીમાં સુનેત્રા પવારને NCP (SP) સુપ્રીમો શરદ પવારની પુત્રી સુપ્રિયા સુળેએ 1,58,333 મતોના માર્જિનથી હરાવ્યા હતા. રાજ્યસભાની એક બેઠક માટે 25 જૂને ચૂંટણી યોજાવાની છે. સુનેત્રા પવારને મેદાનમાં ઉતારવાના નિર્ણયને આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે એનસીપી દ્વારા બારામતી પ્રદેશમાં તેની સ્થિતિ મજબૂત કરવા અને અજિત પવાર ચૂંટણી પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે સુનિશ્ચિત કરવા માટે એક વ્યૂહાત્મક પગલા તરીકે જોવામાં આવે છે. રાજ્યસભામાં જો ચૂંટણીની જરૂર પડશે તો એનસીપીએ ભાજપના મતો પર નિર્ભર રહેવું પડશે. મહાયુતિ (NDA)ના ભાગીદારો-ભાજપ, એકનાથ શિંદેની આગેવાનીવાળી શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની NCP-ની 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં સુનેત્રાને ચૂંટવા માટે પૂરતી સંખ્યા છે.

આ પણ વાંચો : Maharashtraમાં ભાજપના રકાસ માટે અજિત પવાર જવાબદારઃ સંઘની ઝાટકણી

પ્રફુલ પટેલના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં રાજ્યસભા સાંસદની બેઠક ખાલી પડી છે. પ્રફુલ્લ પટેલનો ચાર વર્ષનો કાર્યકાળ બાકી હતો, પરંતુ તેમણે રાજીનામું આપ્યું, કારણ કે તેઓ બીજી વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા અને હવે તેઓ 2030 સુધી રાજ્યસભાના સાંસદ રહેશે. (પ્રફુલ પટેલ જુલાઈ 2022માં અવિભાજીત NCPના સમર્થનથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. પાર્ટી બે ભાગમાં વહેંચાઈ ગયા પછી, તેમને ફરીથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા. આવી સ્થિતિમાં તેમણે પોતાના જૂના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના જૂના કાર્યકાળમાં ચાર વર્ષ બાકી હતા, જેમાં તેઓ 2028 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હોત. જો કે હવે તેઓ 2030 સુધી આ પદ પર રહેશે.)

એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળ પાર્ટીના આ નિર્ણયથી નારાજ છે. સુનેત્રાને રાજ્યસભામાં મોકલવાના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા છગન ભુજબળે કહ્યું છે કે તેઓ ચોક્કસપણે રાજ્યસભામાં જવા માટે ઉત્સુક હતા. જોકે, હવે પાર્ટીએ સુનેત્રા પવારને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય ‘સર્વસંમતિ’થી લીધો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ