PM Modi Addresses Dhule, Nashik; BJP Intensifies Maharashtra Election Campaign

PM Modiએ મહારાષ્ટ્રમાં કર્યાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશઃ MVA પર કર્યા આકરા પ્રહાર

ધુળે : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પીએમ મોદીએ(PM Modi)હવે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. પીએમ મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના ધુળેમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. પીએમ મોદીએ સભામાં આવેલા લોકોનો આભાર વ્યક્ત કર્યો અને આ પછી તેમણે મહાવિકાસ અઘાડી પર પ્રહારો કર્યા. પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે જ્યારે પણ મેં મહારાષ્ટ્ર પાસેથી કંઈક માંગ્યું છે ત્યારે મહારાષ્ટ્રની જનતાએ મને દિલથી આશીર્વાદ આપ્યા છે. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બર રોજ ચૂંટણી યોજાશે.

Also read: વિરાટ-અનુષ્કા મુંબઈની રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા, ફરી મુંબઈ શિફ્ટ થઇ ગયા હોવાની અટકળો

હું ફરી એકવાર અહીં ધુળેની ધરતી પર આવ્યો

પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે હું વર્ષ 2014ની વિધાનસભા ચૂંટણી વખતે તમારી વચ્ચે ધુળે આવ્યો હતો. મેં તમને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર માટે વિનંતી કરી હતી. તમે મહારાષ્ટ્રમાં 15 વર્ષના લાંબા રાજકીય ચક્રને તોડીને ભાજપને અભૂતપૂર્વ જીત અપાવી. આજે હું ફરી એકવાર અહીં ધુળેની ધરતી પર આવ્યો છું. હું ધુળેથી જ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારની
શરૂઆત કરી રહ્યો છું.

મહારાષ્ટ્રને સુશાસન માત્ર મહાયુતિ સરકાર જ આપી શકશે

પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોની રાજનીતિનો આધાર માત્ર લૂંટ છે. મહાવિકાસ અઘાડીના વ્હીકલમાં માત્ર ડ્રાઈવર સીટ માટે જ લડાઈ છે. તેની કારમાં ન તો વ્હીલ છે કે ન તો બ્રેક. જ્યારે તેઓ સત્તામાં આવે છે ત્યારે વિકાસ અટકાવે છે. અમારી યોજનાઓ એમવીએ સહન નથી કરતી. પીએમ મોદીએ કહ્યું કે અમે જનતાની સેવા કરવા માટે રાજકારણમાં
આવ્યા છીએ. પીએમ મોદીએ કહ્યું કે આગામી 5 વર્ષ મહારાષ્ટ્રની પ્રગતિને નવી ઊંચાઈ પર લઈ જશે. મહારાષ્ટ્રને જે સુશાસનની જરૂર છે તે માત્ર મહાયુતિ સરકાર જ આપી શકે છે.

Also read: ટીવી અભિનેતા Nitin Chauhanનું રહસ્યમય સંજોગમાં મોત, આત્મ હત્યાની આશંકા

મહાયુતિનો મેનિફેસ્ટો ઉત્તમ

પીએમ મોદીએ રેલીમાં આવેલા લોકોને કહ્યું કે અમને, ભાજપ, મહાયુતિ, મહાયુતિના દરેક ઉમેદવારને તમારા આશીર્વાદની જરૂર છે. હું તમને ખાતરી આપું છું કે છેલ્લા 2.5 વર્ષમાં મહારાષ્ટ્રના વિકાસને જે ગતિ મળી છે તેને આગળ વધારવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે મહાયુતિનો મેનિફેસ્ટો ઉત્તમ છે. મહાયુતિના આ સંકલ્પો પર ચર્ચા થઈ રહી છે.

MVA ના લોકો મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે

પીએમ મોદીએ રેલીમાં કહ્યું કે મહાવિકાસ અઘાડીના લોકો મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે. મહારાષ્ટ્રના લોકો તેમને માફ નહીં કરે. તેઓ મહિલાઓને સશક્તિકરણ થવા દેવા માંગતા નથી. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે MVA લોકો મહિલાઓનું અપમાન કરે છે. આ લાડલી બહેન યોજના બંધ કરશે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નક્કી કર્યું છે કે જો તેમને સત્તા મળશે તો તેઓ આ યોજનાને સૌથી પહેલા બંધ કરશે.

10 વર્ષમાં કેન્દ્ર સરકારે મહિલાઓ માટે મોટા નિર્ણયો લીધા

આથી મહારાષ્ટ્રની દરેક મહિલાએ આ અઘાડી લોકોથી સાવધાન રહેવું પડશે. આ લોકો ક્યારેય મહિલા શક્તિને મજબૂત થતી જોઈ શકતા નથી. પીએમ મોદીએ ધુળેમાં જાહેર સભામાં કહ્યું કે વિકસિત મહારાષ્ટ્ર અને વિકસિત ભારત માટે આપણી બહેનો અને દીકરીઓનું જીવન સરળ બનાવવું અને તેમને સશક્ત બનાવવું ખૂબ જ જરૂરી છે. જ્યારે મહિલાઓ આગળ વધે છે ત્યારે સમગ્ર સમાજ ઝડપથી આગળ વધે છે. તેથી છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે મહિલાઓને કેન્દ્રમાં રાખીને
મોટા નિર્ણયો લીધા છે.

Also read: મહાવિકાસ આઘાડીમાં ચૂંટણી ઢંઢેરા અંગે અજિત પવારે કહ્યું લોકોને ગેરમાર્ગે દોરનારો છે…

માતા અને બહેન ક્યારેય માફ નહીં કરી શકે

પીએમ મોદીએ કહ્યું કે આખું મહારાષ્ટ્ર જોઈ રહ્યું છે કે કોંગ્રેસ અને અઘાડીના લોકો હવે કેવી રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે. કેવા પ્રકારની અભદ્ર ભાષા, કેવા પ્રકારની કોમેન્ટ, મહિલાઓને અપમાનિત કરવાના પ્રયાસો. મહા વિકાસ અઘાડી લોકોના આ કૃત્યને મહારાષ્ટ્રની કોઈ માતા અને બહેન ક્યારેય માફ નહીં કરી શકે.

સંબંધિત લેખો

Back to top button