મહારાષ્ટ્ર

મરાઠવાડામાં ખેડૂતોની આત્મહત્યામાં 20 ટકાનો વધારો: 2025 ના પ્રથમ છ મહિનામાં 520 મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
રાજ્યના મહેસૂલ વિભાગના અહેવાલ મુજબ, મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રના આઠ જિલ્લાઓમાં જાન્યુઆરીથી જૂન (26 જૂન સુધી) 2025 દરમિયાન 520 ખેડૂતોની આત્મહત્યા નોંધાઈ છે, જે ગયા વર્ષના આ જ સમયગાળામાં નોંધાયેલા 430 કરતા 20 ટકા વધુ છે.

ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં 126 ખેડૂતોની આત્મહત્યા સાથે બીડ જિલ્લો મધ્ય મહારાષ્ટ્ર ક્ષેત્રમાં આ યાદીમાં ટોચ પર છે.

મરાઠવાડાના આઠ જિલ્લાઓમાં જાન્યુઆરીથી જૂન 2024 દરમિયાન 430 ખેડૂત આત્મહત્યા જોવા મળી હતી. 2025માં આ જ સમયગાળા દરમિયાન (26 જૂન સુધી) 520 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી, એમ અહેવાલમાં જણાવાયું છે.
આ ખેડૂતોની આત્મહત્યામાં લગભગ 20 ટકાનો વધારો દર્શાવે છે.

આ પણ વાંચો: મરાઠવાડામાં નદી કિનારેના ગામોને તાકીદની સ્થિતિમાં જાણકારી આપવા પોલીસે ડ્રોનની કરી માગણી

જાન્યુઆરી-જૂન 2024ના સમયગાળા દરમિયાન પણ, બીડ 101 ખેડૂત આત્મહત્યાના કેસ સાથે જિલ્લાઓમાં ટોચ પર રહ્યું, એમ પણ અહેવાલમાં જણાવાયું છે.

આ વર્ષે 313 પાત્ર કેસમાંથી 264માં અસરગ્રસ્ત પરિવારોને એક્સ-ગ્રેશિયાની ચુકવણી કરવામાં આવી છે, જ્યારે 146 કેસ તપાસ હેઠળ છે. ઉપરાંત, 61 કેસ વળતર માટે અયોગ્ય હોવાનું જાણવા મળ્યું છે, જે ગયા વર્ષે જાન્યુઆરી-જૂનમાં 20 કેસ કરતા ત્રણ ગણો વધારો છે, એમ પણ આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

જાન્યુઆરી-જૂન 2025 દરમિયાન જિલ્લા આધારિત ખેડૂત આત્મહત્યાના કેસ: બીડ (126), છત્રપતિ સંભાજીનગર (92), નાંદેડ (74), પરભણી (64), ધારાશિવ (63), લાતુર (38), જાલના (32) અને હિંગોલી (31).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button