મહારાષ્ટ્ર

મનોજ જરાંગે પાટીલ v/s અજય બારસ્કરઃ આવતીકાલે બોમ્બ ફોડીશું, EDમાં પણ જઈશ: અજય બારસ્કર

લોનાવલામાં બંધ બારણે મળેલી બેઠકમાં શું સોદાબાજી થઈ એવો સવાલ કર્યો: મરાઠા કાર્યકર્તા દ્વારા ગઈકાલે કરવામાં આવેલા હુમલા બાદ વધુ આક્રમક

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મારી પાસે પુરાવા છે કે મનોજ જરાંગે પાટીલને ધારાસભ્ય બનવાનું સપનું દેખાડવામાં આવ્યું છે.
અજય બારસ્કરે એમ પણ કહ્યું કે તેઓ ED પાસે જઈને તપાસની માંગણી કરશે કે 45 ડમ્પર જરાંગે પાટીલના સંબંધીઓ પાસે કેવી રીતે આવ્યા. તેણે કહ્યું કે હું આવતીકાલે (25 ફેબ્રુઆરી) સવારે 11 વાગ્યે બોમ્બ ફોડીશ.

બંધ દરવાજા પાછળ શું સોદો શું થયો?
તેમણે કહ્યું હતું કે એક મહારાજની સાથે હું પણ વકીલ છું. મારી પાસે પુરાવા છે અને મારી પાસે મનોજ જરાગેનું રેકોર્ડિંગ છે, જેમાં તેઓ કહે છે કે હું મનોજ દાદા બોલું છું. મેં મનોજ જરાંગે પાટીલને પૂછ્યું કે લોનાવલામાં બંધ બારણે મીટિંગ શા માટે યોજાઈ હતી. બંધ દરવાજા પાછળ તમારો સોદો શું હતો? 14મીએ મળેલી બેઠકમાં જરાગે પાટીલે છ માંગણીઓ કરી હતી. એ મીટીંગમાં સમાજની માંગણી માન્ય રાખી તો પછી લોનાવલામાં શબ્દો કેમ છોડી દેવાયા. લોનાવલામાં બંધ બારણે મળેલી બેઠક બાદ ‘સરસકટ’ શબ્દ કેમ છોડી દેવામાં આવ્યો? આત્મહત્યા કરનાર 45 ભાઈઓની સરકારી નોકરી ક્યાં જતી રહી? એમ તેમણે પૂછ્યું હતું.

કાળો કારોબાર કરનારાને ટ્રેપમા લેવાય છે, શું તેઓ કાળો કારોબાર કરે છે?
અજય બારસ્કરે 2017માં મનોજ જરાંગે પાટીલની માંગણી શું હતી તે જણાવ્યું હતું, જરાંગે પાટીલની માંગણી ઓબીસી સમાજથી અલગ અનામતની હતી. જોકે, હવે તેમાં ફેરફાર થયો છે અને કુણબીનું પ્રમાણપત્ર જરૂરી બનાવી દેવામાં આવ્યું છે.
મનોજ જરાંગ પર પુણેમાં છેતરપિંડીનો કેસ છે. જરાંગે કહે છે કે મને છટકામાં લેવામાં આવ્યો છે. કાળો કારોબાર કરનારાને છટકામાં લેવામાં આવે છે. શું તેઓ કાળો ધંધો કરે છે? ગાયકવાડ સમિતિની અનામતની અરજી મારા કારણે આવી હતી. આવતીકાલે 11 વાગ્યે અહીં બોમ્બ ફૂટવાનો છે. તેણે કહ્યું કે તે જરાંગે કેવો છે તેનો પર્દાફાશ કરવાનો છું.

આક્રમક મરાઠા; સુરક્ષામાં વધારો
બીજી તરફ, મરાઠાઓને અલગથી 10 ટકા અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણયના કલાકોમાં જ અજય બારસ્કરે મરાઠા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલ પર આરોપ લગાવ્યો હતો. આ પછી અજય બારસ્કરને મરાઠા સમુદાયના રોષનો સામનો કરવો પડ્યો છે. ગઈકાલે (23 ફેબ્રુઆરી) મુંબઈમાં અજય બારસ્કર પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બારસ્કર ચર્ચગેટ વિસ્તારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મરીન ડ્રાઈવ પોલીસે હુમલાખોરોને અટકાવીને તેમની અટકાયત કરી હતી. આ ઘટના બાદ બારસ્કરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme