મહારાષ્ટ્ર

મહાયુતિમાં ભંગાણના એંધાણ? લોકસભાની ચૂંટણીમાં શિંદે જૂથ જેટલી જ બેઠકો જોઇએ, છગન ભુજબળની માંગણી

નાસિક: મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારે કયો ભૂકંપ આવશે એની આગાહી કોઇ કરી શકે એમ નથી. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલ પાથલના એંધાણ પણ લાગી રહ્યાં છે. એક તરફ ઇન્ડિયા ગઠબંધનમાં બેઠકો અને વડા પ્રધાનના પદને લઇને મતભેદો થવાની ચર્ચાઓ થઇ રહી છે ત્યાં મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ભંગાણના એંધાણ લાગી રહ્યાં છે.

હાલમાં જ રાષ્ટ્રવાદી કોંગ્રેસના અજિત પવાર જૂથના નેતા છગન ભુજબળે લોકસભાની બેઠકોની વહેંચણી અંગે નિવેદન કરતાં મહાયુતિની સરકારમાં પણ મતભેદો થવાની શક્યાતાઓ વર્તાઇ રહી છે. છગન ભુજબળે શિંદે જૂથને જેટલી બેઠકો ફાળવવામાં આવશે તેટલી જ બેઠકોની માંગણી કરી છે. ત્યારે હવે આખરે મહાયુતિનો આ રથ ક્યાં જઇ અટકશે તે અંગે તો રાજકીય પંડિતો પણ ભવિષ્યવાણી કરી શકતાં નથી.

લોકસભાની ચૂંટણીને લઇને મહાયુતિ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે એવા સમયે જ છગન ભુજબળે બેઠકોની વહેંચણીને લઇને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે શિંદે જૂથના જેટલાં વિધાનસભ્યો મહાયુતિમાં સામેલ થયા છે તેટલાં જ વિધાનસભ્યો અમારા પણ છે, તેથી જેટલી બેઠકો શિંદે જૂથને મળશે તેટલી જ અજિત પવાર જૂથને પણ મળવી જોઇએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…