આમચી મુંબઈમહારાષ્ટ્ર
શિવસેના ઠાકરે જૂથના જયસિંહ ઘોસાલે શિંદે જૂથમાં જોડાયા, રત્નાગીરીમાં ઠાકરે જૂથને આંચકો

રત્નાગીરી: રત્નાગીરીના કટ્ટર શિવસૈનિક અને રત્નાગીરીના ભૂતપૂર્વ જિલ્લા પરિષદના પ્રમુખ જયસિંહ ઉર્ફે આબા ઘોસાલે શનિવારે પાલક પ્રધાન ઉદય સામંતની હાજરીમાં શિવસેના (શિંદે) જૂથમાં જોડાયા હતા. તેમની એન્ટ્રી ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે મોટો ફટકો હોવાનું કહેવાય છે.
આબા ઘોસાલેના પ્રવેશ અંગે વાત કરતા ઉદય સામંતે કહ્યું હતું કે આબા ઘોસાલે કટ્ટર શિવસૈનિક છે. તેમણે શિવસેનાની નાચને, પ્રથમ ગ્રામ પંચાયત જીતાડી હતી. તેમણે રત્નાગીરી જિલ્લા પરિષદના પ્રમુખ તરીકે સેવા આપી છે. પાલક મંત્રી ઉદય સામંતે કહ્યું કે તેમના પ્રવેશથી શિવસેના શિંદે જૂથને ફાયદો થશે.
જયસિંહ (આબા) ઘોસાલેએ પાર્ટી પ્રવેશ સમયે કહ્યું હતું કે હવે અમે પાલક મંત્રી ઉદય સામંત સાથે ખભે ખભા મિલાવીને કામ કરવાના છીએ. તેમણે રત્નાગીરી તાલુકામાં જંગી મતોથી ચૂંટાશે તેવી જાહેરાત કરી છે.