Inside Story: મુંબઈમાં પ્રવાસીઓને લઈ જતી બોટ કઈ રીતે ઊંધી વળી…

મુંબઈઃ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી બોટ ઉરણમાં ઊંધી વળવાની મોટી દુર્ઘટના ઘટી, જેમાં સેંકડો પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા હતા. પહેલા બોટને ડૂબવાના વીડિયો વાઈરલ થયા પછી હવે નવા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં બોટને સ્પીડ બોટે ટક્કર મારવાને કારણે મોટી દુર્ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે. અલગ અલગ વાઈરલ વીડિયોમાં સ્પીડ બોટે ટક્કર માર્યા પછી પ્રવાસીઓ ઊંધા થઈ ગાય હતા, જ્યારે લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
આ પણ વાંચો: એલિફન્ટા જતી ફેરી ઉરણ નજીક દરિયામાં ઊંધી વળી
આજે સાંજના સવા પાંચ વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. ગેટવે ઓફ ઈન્ડિયાથી એલિફન્ટા જતી ‘નીલકમલ’ નામની ફેરી બોટ ઉરણ (કરંજ) ખાતે ઊંધી વળી હતી. આ દુર્ઘટનામાં લખાય છે ત્યાં સુધીમાં 13 લોકોનાં મોત થયા છે, જ્યારે 66 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું સત્તાવાર જણાવાયું હતું. પ્રાથમિક અહેવાલ અનુસાર બોટમાં ક્રૂ મેમ્બર સહિત 110થી લોકો હતા. દુર્ઘટના પછી અહેવાલ પછી નેવી, એરફોર્સ, સ્થાનિક પોલીસ, જેએનપીટી સ્ટાફ સહિત અન્ય એજન્સીને બચાવ કામગીરી માટે તહેનાત કરવામાં આવી હતી, જેમાં મોટા ભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
ફડણવીસે લખ્યું બચાવ કામગીરી ચાલુ
આ બનાવ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એક્સ પર ટવિટ કરીને લખ્યું હતું કે અમને નીલકમલ બોટને દુર્ઘટનાનો રિપોર્ટ મળ્યો છે, જે એલિફન્ટા જઈ રહી હતી. આ દુર્ઘટના પછી નૌકાદળ, કોસ્ટગાર્ડ, જેએનપીટી અને પોલીસની ટીમ દ્વારા બોટ લઈને મદદ માટે પહોંચ્યાં હતા. અમે જિલ્લા અને પોલીસ પ્રશાસનની સાથે નિરંતર સંપર્ક છીએ, જ્યારે સદ્નસીબે લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બચાવ કામગીરી ચાલુ છે. આ બાબતમાં જિલ્લા પ્રશાસનને પણ બચાવ કામગીરી માટે જરુરી મદદ પહોંચાવાના આદેશ આપવામાં આવ્યા છે.
પેસેન્જર બોટના માલિકે કર્યો મોટો દાવો
નાવને એક સ્પીડ બોટે ટક્કર મારી હતી. બોટના માલિક રાજેન્દ્ર પડતેએ દાવો કર્યો હતો કે અમારી બોટને એક સ્પીડ બોટે ટક્કર મારી હતી. અમારી બોટમાં 84 લોકો બેસી શકે છે, જેમાં 80 લોકો સવાર હતા. આ ઘટના અંગે શિવસેનાએ પણ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને તપાસ કરવાની માગણી કરી હતી. આ ઉપરાંત અસરગ્રસ્તોને તાકીદે મદદ કરવાની અપીલ કરી હતી.
100થી વધુ લોકોને બચાવ્યાનો પાલિકાનો દાવો
નીલકમલ નામની બોટ મુંબઈ નજીકના લોકપ્રિય ટૂરિસ્ટ સ્પોટ એલિફન્ટા જઈ રહી હતી ત્યારે એક સ્પીડ બોટ ટકરાઈ હતી. એક સ્પીડબોટના ચાલકે નિયંત્રણ ગુમાવતા પેસેન્જર બોટને ટક્કર મારી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. આ દુર્ઘટના ઘટ્યા પછી સુરક્ષા પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરી હતી. બચાવ કામગીરીમાં 100થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે ચાર લોકોને ગંભીર હાલત હોવાનું જણાવ્યું હતું.