મહારાષ્ટ્ર

કલેક્ટરે ઈન્દ્રાયણી નદીના પુલને ખતરનાક જાહેર કર્યો હતો, સ્થાનિકોએ ચેતવણીનાં બોર્ડ પણ લગાવ્યા હતા: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
પુણે જિલ્લાના માવળ તાલુકામાં ઈન્દ્રાયણી નદી પરનો જર્જરિત કુંડમાલા પુલ તૂટી પડવાના એક દિવસ પછી, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું હતું કે જિલ્લા કલેક્ટર દ્વારા આ માળખું ‘ખતરનાક’ જાહેર કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, પ્રવાસીઓને કદાચ ગંભીરતાનો ખ્યાલ નહીં હોય.

આ દરમિયાન, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવાર, જે પુણે જિલ્લાના પાલક પ્રધાન પણ છે, તેમણે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સોમવારે સ્થળ પર એનડીઆરએફની આગેવાની હેઠળની શોધ અને બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી.

આપણ વાંચો: ઈન્દ્રાયણી નદી પરનો પુલ કેવી રીતે તૂટ્યો, જાણો સ્થાનિકોએ શું કહ્યું…?

‘આ હોનારત પહેલાં જિલ્લા કલેક્ટર દ્વારા આ માળખાને ખતરનાક જાહેર કરવામાં આવ્યું હતું અને ગ્રામજનોએ ચેતવણીના બોર્ડ પણ લગાવ્યા હતા. પ્રવાસીઓને કદાચ પુલની સ્થિતિની ગંભીરતાનો ખ્યાલ ન હતો,’ એમ રાજ્યના ગૃહ ખાતાનો હવાલો સંભાળતા ફડણવીસે પાલઘર જિલ્લામાં સોમવારે પત્રકારોને જણાવ્યું.

શિંદેએ કહ્યું કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત, આવી દુર્ઘટનાઓ રોકવા માટે રાજ્યની નદીઓ પરના તમામ પુલોનું માળખાકીય ઓડિટ કરવામાં આવશે.

આપણ વાંચો: પુણેમાં ઇન્દ્રાયણી નદી પરનો પુલ ધરાશાયી! અનેક લોકો ડૂબ્યા

પુણે જિલ્લાના પાલક પ્રધાન પવારે જિલ્લા વહીવટીતંત્રને પુલ તૂટી પડવાની ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા સૂચના આપી છે. ‘પ્રાથમિક માહિતી દર્શાવે છે કે પુલની સ્થિતિ જર્જરિત હતી.

તેથી, આ અકસ્માતની સંપૂર્ણ તપાસ કરવા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે અને હું ખાતરી આપું છું કે જો જાળવણીમાં કોઈ બેદરકારી જણાશે તો જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે,’ એમ તેમણે જણાવ્યું હતું.

પુલ તૂટી પડ્યા બાદ પાંચ ટુ-વ્હીલર પણ નદીમાં પડી ગયા હતા. તેના વાહન માલિકોને શોધી કાઢવામાં આવ્યા છે.
પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે પુલ ભારને કારણે તૂટી પડ્યો ત્યારે તેના પર 125 થી વધુ લોકો હાજર હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button