ખેડૂતોના ખાતામાં પૈસાના વરસાદનો સરકારનો મોટો નિર્ણય | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ખેડૂતોના ખાતામાં પૈસાના વરસાદનો સરકારનો મોટો નિર્ણય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના ખેડૂતો માટે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે. મોટી રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા કરાવવાની જાહેરાત થતાં જ ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. ‘નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના’નો સાતમો હપ્તો મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કેબિનેટ હોલમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં વિતરિત કરવામાં આવ્યો હતો.

આ હપ્તા દ્વારા રાજ્યના 91 લાખ 65 હજાર 156 ખેડૂતોના ખાતામાં 1892.61 કરોડ રૂપિયા સીધા જમા કરવામાં આવ્યા. એપ્રિલ 2025થી જુલાઈ 2025ના સમયગાળા માટે લાભાર્થીઓને સબસિડીનો લાભ આપવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, કૃષિ પ્રધાન દત્તાત્રય ભરણે, કેબિનેટ સભ્યો અને મુખ્ય સચિવ રાજેશ કુમાર અને ઘણા મહાનુભાવો હાજર રહ્યા હતા.

યોજનાની વિશેષતાઓ

કેન્દ્રીય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના: દર વર્ષે રૂ. 6,000 સબસિડી.
રાજ્યની નમો શેતકરી મહાસમ્માન નિધિ યોજના: વધુ રૂ. 6,000 ગ્રાન્ટ.
આ બે યોજનાઓ દ્વારા દર વર્ષે ખેડૂતોને કુલ રૂ. 12,000ની સીધી સહાય.
અત્યાર સુધીમાં, છ હપ્તાઓ દ્વારા રાજ્યના 93 લાખ ખેડૂતોના ખાતામાં 11,130 કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

કૃષિ પ્રધાને શું કહ્યું?

કૃષિ પ્રધાન દત્તાત્રય ભરણેએ જણાવ્યું હતું કે, ‘આ યોજના ખેડૂતોની આવકમાં વધારો કરી રહી છે, તેમને ઉત્પાદન ખર્ચ પૂર્ણ કરવામાં મદદ કરી રહી છે અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવી રહી છે. સાતમા હપ્તાના વિતરણ સાથે લાભાર્થીઓની સંખ્યામાં વધુ વધારો થશે.’

આ પણ વાંચો…જાહેરાતોમાં ફક્ત મુખ્ય પ્રધાન ફડણવીસ: એકનાથ શિંદેએ શ્રેય લેવાની હોડ ન હોવાનો દાવો કર્યો

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button