આમચી મુંબઈમહારાષ્ટ્ર

શરદ પવાર માટે દુ:ખી છું: એનસીપી નેતા નિમ્બાલકર

સાતારા: અજિત પવારના નેતૃત્વ હેઠળની એનસીપીના સિનિયર નેતા રામરાજે નાઈક-નિમ્બાલકરે રવિવારે કહ્યું હતું કે તેઓ શરદ પવારનો ત્યાગ કરવા બદલ દુ:ખી છે, પરંતુ કાર્યકર્તાને જાળવી રાખવા આવશ્યક હતા.
ફલટણમાં તેમના 75મા જન્મદિને આયોજિત કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું હતું કે તેમણે શરદ પવાર સાથે છેડો ફાડવાનું નક્કી કરી નાખ્યું છે અને અજિત પવારના નેતૃત્વ હેઠળની પાર્ટીમાં પોતાના કાર્યકર્તાની સલામતી અને સુરક્ષા માટે જોડાવાનું નક્કી કર્યું છે.

જોકે, આવું કશું થયું નથી એમ પણ રાજ્ય વિધાન પરિષદના ભૂતપૂર્વ સભાપતિએ કહ્યું હતું.
એનસીપી (એસપી)માં ફરી જોડાવાની અટકળો વિશે પુછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે હું કેવી રીતે પવાર સાહેબનો સામનો કરી શકીશ? જેમણે 2009માં હું વિધાનસભ્ય પણ નહોતો ત્યારે પ્રધાન બનાવ્યો હતો. તેમને છોડવાનું મને ઘણું દુ:ખ થાય છે, પરંતુ મેં મારા કાર્યકર્તાઓની સલામતી અને સુરક્ષા માટે આ પગલું લીધું હતું. જોકે તેનો ફાયદો થતો જણાતો નથી.
તેમણે એમ પણ કહ્યું હતું કે તેમણે અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસને તેમણે લોકસભાની ચૂંટણી વખતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે તેઓ ભાજપના સંસદસભ્ય રણજિત નિમ્બાલકર માટે પ્રચાર કરશે નહીં.

તેમણે એમ પણ કહ્યું હતું કે રાજકીય ભાવિ અંગે કાર્યકર્તાઓ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે મતદારસંઘના પુનર્ગઠનમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે શહેરી વિસ્તારોમાં બેઠકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અત્યારે મુંબઈ, પુણે, નાશિક અને આસપાસના વિસ્તારોમાં મળીને જ 125 બેઠકો થઈ જાય છે અને રાજ્યમાં બહુમતી માટે ફક્ત 144 વિધાનસભ્યનો સમાવેશ થાય છે, એમ તેમણે કહ્યું હતું. નિમ્બાલકર રાજ્ય વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરના સસરા છે.

હિંમત હોય તો રૂબરૂ આવો, અપક્ષ લડીએ: રણજીત સિંહ નાઈક નિમ્બાલકરને પડકાર
સતારા: કાર્યકર્તા મારા જીવનનું કેન્દ્ર છે. મતવિસ્તારમાં સ્થિતિ હાથમાંથી નીકળી ગઈ છે. ભાજપના સમર્થનથી મારા કાર્યકરોને ખોટા ગુનામાં દબાણ કરીને મુશ્કેલીમાં મુકવાનો પ્રયાસ કરી જેલમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે. આ સ્થિતિ હવે સહન કરવા યોગ્ય નથી. ધારાસભ્ય રામરાજે નાઈક નિમ્બાલકરે વિપક્ષના ભૂતપૂર્વ સાંસદ રણજીતસિંહ નાઈક નિમ્બાલકરને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, પાર્ટીને ભૂલી જાઓ, હિંમત હોય તો આપણે બંને અપક્ષ તરીકે લડીએ.

તેમણે રણજિતસિંહ નાઈક નિમ્બાલકરનું નામ લીધા વિના કહ્યું કે આ સમાચાર વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવ્યા હશે. કારણ કે તેમને આવી અફવાઓ ફેલાવવાની ગંદી આદત છે. અમે અજિત પવાર સમક્ષ લાગણી રજૂ કરવાના છીએ. તેઓ યોગ્ય નિર્ણય લેશે. અત્યાર સુધી હું કહેતો હતો, પેલા કાર્યકરો સાંભળતા હતા, પરંતુ હવે કાર્યકરો મને કહી રહ્યા છે. આ એક મહાન ઐતિહાસિક ક્ષણ છે. તેમણે અપીલ કરી હતી કે પાર્ટી અધ્યક્ષ અજિત પવારે એવો સમય ન આવવા દેવો જોઈએ જ્યારે કાર્યકર્તા કંઈક નક્કી કરે અને હું કંઈ કહી શકીશ નહીં.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker