આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભાઇબીજના અવસરે મધ્ય રેલવે આ રૂટ પર દોડાવશે વિશેષ ટ્રેન

મુંબઇઃ દિવાળીનો તહેવાર શરૂ થઇ ગયો છે અને લોકો ભાઇબીજ માટે પોતપોતાના ગામમાં જવાની હવે તૈયારી કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. મધ્ય રેલવે દ્વારા 9 વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેનો નાગપુરથી સીએસએમટી અને સીએસએમટીથી દાનાપુર વચ્ચે દોડશે.

રેલવેના જણાવ્યા અનુસાર ગુરુવારે રાત્રે નાગપુરથી સ્પેશિયલ ટ્રેન રવાના કરવામાં આવશે. આ ટ્રેન 16 નવેમ્બરની રાત્રે 10 વાગે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1.40 વાગે સીએસએમટી પહોંચશે. આ ટ્રેન વર્ધા, બડનેરા, અકોલા, શેગાંવ, મલકાપુર, ભુસાવળ, નાશિક રોડ, ઇગતપુરી, કલ્યાણ, થાણે અને દાદર ખાતે ઊભી રહેશે.

સીએસએમટી-દાના પુર ટ્રેન મુંબઇથી દાનાપુર જશે. આ ટ્રેન 18 અને 25 નવેમ્બરના રોજ સવારે 11.05 વાગે ઉપડશે અને બીજા દિવસે બપોરે બે વાગે દાનાપુર પહોંચશે. રિટર્નમાં આ ટ્રેન 19 અને 26 નવેમ્બરના રોજ સાંજે 4.30 વાગે ઉપડશે અને બીજા દિવસે સાંજે 4.30 વાગે સીએસએમટી પહોંચશે. સીએસએમટી-દાનાપુર ટ્રેનને દાદર, કલ્યાણ, ઇગતપુરી, નાશિક રોડ, ભુસાવળ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ, છિવકી, પં.દિનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર અને અરાહ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. મધ્ય રેલવેએ માહિતી આપી છે કે સ્પેશિયલ ટ્રેનો માટે રિઝર્વેશનની સુવિધા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…