સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે પુણેમાં યોજાનારા કાર્યક્રમમાં શરદ પવાર સાથે ભુજબળ સ્ટેજ પર સાથે આવશે

સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે પુણેમાં યોજાનારા કાર્યક્રમમાં શરદ પવાર સાથે ભુજબળ સ્ટેજ પર સાથે આવશે
પુણે: એનસીપી અજિત પવાર જૂથના નારાજ નેતા છગન ભુજબળ શુક્રવારે સુપ્રસિદ્ધ સમાજ સુધારક સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે પુણેમાં યોજાનારા કાર્યક્રમમાં એનસીપી (એસપી)ના વડા શરદ પવાર સાથે એક મંચ પર જોવા મળશે.
દેવેન્દ્ર ફડણવીસની કેબિનેટમાં સમાવેશ ન થતાં ભુજબળ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની આગેવાની હેઠળની તેમની પાર્ટીથી નારાજ છે.
15 ડિસેમ્બરના રોજ શપથગ્રહણ સમારોહ પછીના દિવસોમાં, ભુજબળે નાયબ મુખ્ય પ્રધાન પર તેમનો સમાવેશ ન કરવા બદલ પ્રહારો કર્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ફડણવીસ તેમને તેમની કૅબિનેટમાં રાખવા માગતા હતા.
આ પણ વાંચો: બીડ સરપંચ હત્યાના આરોપીઓને ફાંસી આપવી જોઈએ: ધનંજય મુંડે
સાવિત્રીબાઈ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે ચાકણમાં યોજાનારા કાર્યક્રમમાં અજિત પવારની આગેવાની હેઠળની એનસીપીના દિલીપ વળસે-પાટિલ સહિત અન્ય ઘણા નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે.
શરદ પવાર અને ભુજબળ આ કાર્યક્રમમાં ફૂલેની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવાના છે.
જુલાઈ 2023માં અજિત પવાર એકનાથ શિંદે સરકારમાં જોડાયા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ભાગલા પડ્યા હતા.
એનસીપી નામ અને ‘ઘડિયાળ’ પ્રતીક અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથને આપવામાં આવ્યું હતું, જ્યારે શરદ પવારના નેતૃત્વ હેઠળના જૂથને એનસીપી (એસપી) નામ આપવામાં આવ્યું હતું.