બીડના સરપંચ હત્યા: ધનંજય મુંડેના રાજીનામાની માગણી મુદતપૂર્વ: ભુજબળ

મુંબઈ: એનસીપીના નેતા છગન ભુજબળે સોમવારે કહ્યું હતું કે, બીડમાં સરપંચ સંતોષ દેશમુખની હત્યા અંગે પાર્ટીના સાથી અને મહારાષ્ટ્રના પ્રધાન ધનંજય મુંડેના રાજીનામાની માંગણી મુદતપૂર્વ અને ગેરવાજબી છે.
પત્રકારો સાથે વાત કરતાં, ભૂતપૂર્વ પ્રધાને કહ્યું હતું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પહેલાં જ હત્યા કેસની સંપૂર્ણ તપાસની ખાતરી આપી છે.
આ પણ વાંચો: બીડમાં સરપંચની હત્યાનો કેસ: સર્વપક્ષી મોરચામાં બધા આરોપીની ધરપકડ કરવાની માગણી
બીડના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું નવમી ડિસેમ્બરે અપહરણ કરીને ત્રાસ આપ્યા બાદ હત્યા કરવામાં આવી હતી, દેખીતી રીતે તેમણે પવનચક્કી પ્રોજેક્ટ ચલાવતી ઊર્જા કંપની પાસેથી પૈસા પડાવવાના પ્રયાસને નિષ્ફળ બનાવવાનો પ્રયાસ કર્યો હોવાને કારણે આ હત્યા કરવામાં આવી હતી.
પ્રધાન ધનંજય મુંડેના સહયોગી વાલ્મિક કરાડની ખંડણી કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
ભુજબળે કહ્યું હતું કે, ‘મુખ્ય પ્રધાને એવી સ્પષ્ટતા કરી હતી કે તેઓ સંપૂર્ણ તપાસ કરશે. કોઈપણ દોષી ઠરશે, પછી ભલે તે રાજકીય સંસ્થાના નજીકના હોય કે ન હોય, તેમને કાર્યવાહીનો સામનો કરવો પડશે. તો તપાસ શરૂ થાય તે પહેલાં મુંડેના રાજીનામાની માગણી કેમ થઈ રહી છે? શું તપાસમાં હજુ સુધી કંઈ સામે આવ્યું છે? તપાસના પરિણામ પહેલાં કોઈનું રાજીનામું માગવું ખોટું છે.’
આ પણ વાંચો: બીડના સરપંચની હત્યા મુદ્દે ફડણવીસે કહ્યું સરકાર કોઈને નહીં છોડે
તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય કૅબિનેટમાં પ્રવેશ મેળવવા માટે મુંડે પાસેથી રાજીનામું માગવાનું તેમણે ક્યારેય વિચાર્યું ન હતું.
‘હું ક્યારેય સ્વપ્નમાં પણ નહીં જોઉં કે કૅબિનેટમાં મારા માટે જગ્યા કરવા માટે કોઈને રાજીનામું આપવાનું કહેવામાં આવે. હું આ રીતે કામ કરતો નથી,’ એમ પણ ભુજબળે પત્રકારોને જણાવ્યું હતું.
તેમણે 2003માં અબ્દુલ કરીમ તેલગી સાથે સંકળાયેલા કેસની તપાસ દરમિયાનના પોતાના અનુભવને યાદ કર્યો.