મહારાષ્ટ્ર
આદિવાસીઓના ઉત્થાન માટે ફડણવીસે ‘વાંસ મિશન’ શરૂ કર્યું

પાલઘર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના આદિવાસીઓને ટકાઉ આજીવિકા પૂરી પાડવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
મુખ્ય પ્રધાને 70 વર્ષના આદિવાસી રઘુ અવારે જે બંધુઆ મજૂરીનો ભોગ બન્યા હતા તેમની સાથે સોમવારે વરસતા વરસાદમાં પાલઘર જિલ્લાના વસઈમાં તેમને ફાળવવામાં આવેલી જમીન પર વાંસનો છોડ વાવીને ‘વાંસ મિશન’ની શરૂઆત કરી હતી, જેનો હેતુ થાણે અને પાલઘરમાં એક કરોડ વાંસના વૃક્ષો વાવવાનો હતો.
આપણ વાંચો: ઘરનાં ઘરનું સ્વપ્ન થશે સાકાર; PM ગ્રામીણ આવાસ યોજનાની સહાયમાં વધારો…
મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે રોજગાર ગેરંટી યોજના હેઠળ અમલમાં મુકવામાં આવનાર આ કાર્યક્રમ આદિવાસીઓના જીવનમાં પરિવર્તન લાવવા, તેમને ટકાઉ આજીવિકા પ્રદાન કરવા અને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે રચાયેલ છે.