આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાયગઢ જિલ્લા પરિષદની શાળાઓમાં 169 નિવૃત્ત શિક્ષકોની નિમણૂક

અલીબાગ: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના 11 તાલુકાઓમાં જિલ્લા પરિષદની શાળાઓમાં દર મહિને 20,000 રૂપિયાના માનદ વેતન પર કુલ 169 નિવૃત્ત શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જિલ્લા પરિષદની શાળાઓમાં શિક્ષકોની 1,250 જગ્યાઓ ખાલી છે અને આ પગલાથી સિસ્ટમ પરનો તાણ ઓછો થવાની અપેક્ષા છે.

જિલ્લા પરિષદ અધિકારીએ જણાવ્યું હતું કે મહાડમાં 31 નિવૃત્ત શિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, મ્હાસલામાં 25, પેન અને રોહામાં દરેક 23, સુધાગઢમાં સાત, પોલાદપુરમાં ત્રણ, તાલામાં બે અને મુરુડમાં એક. આ નિમણૂક ટેમ્પરરી છે અને શાળાઓની ફાળવણી સંબંધિત બ્લોક વિકાસ અને શિક્ષણ અધિકારીઓ દ્વારા જરૂરિયાત મુજબ કરવામાં આવશે, એમ અધિકારીએ ઉમેર્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા