મહારાષ્ટ્ર પોલીસ દળે પોતાની પ્રતિષ્ઠા વધારવા અને તાકાત સાબિત કરવા માટે કામ કરવું જોઈએ: અજિત પવાર | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર પોલીસ દળે પોતાની પ્રતિષ્ઠા વધારવા અને તાકાત સાબિત કરવા માટે કામ કરવું જોઈએ: અજિત પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)

પુણે: મહારાષ્ટ્ર પોલીસ દળના બહાદુર અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારીઓએ મહારાષ્ટ્ર પોલીસ દળની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે, જેના કારણે પોલીસ દળનો ગૌરવશાળી ઇતિહાસ છે એમ જણાવતાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પુણેના પાલક પ્રધાન અજિત પવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પોલીસ દળની પ્રતિષ્ઠા વધારવા અને તેની તાકાત સાબિત કરવા માટે આ જ રીતે સારું કાર્ય કરવું જોઈએ.

તેઓ પુણે ગ્રામીણ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ કાર્યાલય હેઠળ નારાયણગાંવ પોલીસ સ્ટેશનના નવા મકાનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા.

આ પણ વાંચો: સુપ્રિયા સુળેએ ભાઈ અજિત પવારના મંત્રાલયમાં ફરિયાદ કરી, મામલો પહોંચ્યો દેવેન્દ્ર ફડણવીસ પાસે

પવારે કહ્યું હતું કે, પોલીસ શાસન વ્યવસ્થામાં એક મહત્ત્વપૂર્ણ સંસ્થા છે અને સરકારના દૃષ્યમાન પ્રતિનિધિઓ તરીકે કામ કરે છે. પોલીસ દળનું વર્તન સમાજમાં પોલીસ દળની અને સરકાર છબી નિર્માણ થાય છે.

નાગરિકો એવી અપેક્ષા રાખે છે કે પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી તેમને સારી સેવા મળે, સમાજમાં દુષ્ટ વૃત્તિઓને કાબુમાં લેવા ઉપરાંત, ખોટું કરનારાઓને સજા મળે, રાજકીય હસ્તક્ષેપ ન થવો જોઈએ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે. તેથી પોલીસે નાગરિકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે સ્વચ્છ અને પારદર્શક રીતે કામ કરવું જોઈએ.

સંબંધિત લેખો

Back to top button