પુણેને મળશે 3 નવી નગરપાલિકાઃ અજિત પવારની મોટી જાહેરાત | મુંબઈ સમાચાર

પુણેને મળશે 3 નવી નગરપાલિકાઃ અજિત પવારની મોટી જાહેરાત

પુણે: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તાજેતરમાં મોટી જાહેરાત કરી કે પુણેમાં ચાકણ, હિંજેવાડી અને ઉરલી દેવાચી-ફુરસુંગી-મંજરીમાં ત્રણ નગરપાલિકાઓની રચના કરવામાં આવશે.

ચાકણ ઔદ્યોગિક વિસ્તારમાં શહેરી સમસ્યાઓનું નિરીક્ષણ કરતા તેમણે કહ્યું કે ચાકણમાં એક નગર પરિષદ હોવાથી આ સ્થળે વિકાસની મર્યાદાઓ છે. તેમ જ, હિંજેવાડીમાં ઔદ્યોગિક વિસ્તારના વિકાસ પર પણ પ્રતિબંધો છે.

આ પણ વાંચો: પુણેના ઔદ્યોગિક જગતમાં ‘દાદાગીરી’, અજિત પવારે ફડણવીસના નિવેદન પર શું કહ્યું?

આ કારણે, ચાકણ અને હિંજેવાડી માટે નવી નગરપાલિકાઓની રચના કરવામાં આવશે. તે જ સમયે, ઉરલી દેવાચી-મંજરી-ફુરસુંગ માટે નવી નગરપાલિકાની રચના કરવામાં આવશે. કોઈને ગમે કે ન ગમે, આ નગરપાલિકાઓની રચના થવાની છે, તેમણે જણાવ્યું હતું.

હિંજેવાડી આઈટી પાર્ક, ચાકણ ઔદ્યોગિક વિસ્તાર શહેરી સમસ્યાઓ વારંવાર સામે આવી રહી છે. આ જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. આ સમસ્યાઓના કારણે રાજ્ય સરકારની ટીકા થઈ રહી છે.

આ પણ વાંચો: ‘શિસ્તબદ્ધ’ અજિત પવારે કોકાટેને રાજીનામું આપવા કહ્યું નહીં: એનસીપી (એસપી)…

આ કારણે, નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે ગયા મહિનાથી દર અઠવાડિયે આઈટી પાર્ક અને ચાકણ ઔદ્યોગિક વિસ્તારનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. આ પ્રસંગે, તેમણે ઔદ્યોગિક વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યાની સમીક્ષા કરી હતી.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button